________________
(ર૭૭ )
૪૩ પરસ્ત્રીને માતા, બહેન કે પુત્રી તુલ્ય ગણે. ૪૪ પરનિંદા, ચુગલી ને મિયા આપ વગેરે પાપના
બોજાથી બહુ ડરે. ૪૫ વિષયતૃષ્ણાથી વેગળા રહે, ઈન્દ્રિયેના ગુલામ ન બને
પરંતુ ઇન્દ્રિયોને ગુલામ બનાવે. ૪૬ ચારિત્ર લેવાની હંમેશાં શુભ ભાવના રાખે. ૪૭ શરીર સારું હોય તે સંસારના મોહને છેડી ચારિત્ર
ગ્રહણ કરવું. ૪૮ સંસારને કેદખાનું સમજવું, તેમાં મુંઝાવું નહિ. ૪૯ બીજાને દુઃખી દેખી દ્રવ્યભાવથી તેનું દુઃખ દૂર કરવાની
ભાવના રાખવી. ૫. ધર્મરાગ કરે, પરંતુ કામરાગ કે નેહરાગ ન કર
કારણ કે તે સંસારમાં ભમાવનાર છે. ૫૧ યથાશક્તિ દશતિથિ અથવા પાંચતિથિ તપશ્ચર્યા કરવી. પર લક્ષ્મી ઉપર અત્યંત મેહ ન રાખ, છેવટે તેને છેડવી
પડશે અથવા તે આપણને છેડશે એ યાદ રાખવું. ૫૩ ઉપકારીને ઉપકાર કદાપી ભૂલ નહિ. ૫૪ ખાવાપીવામાં બહુ લુપતા રાખવી નહિ. ૫૫ પ્રથમવું ભેજન પાચન થયા વગર જમવું નહિ. નિરંતર
બેચાર કવળ એ છે આહાર કર. પ૬ ઉપદ્રવવાળા સ્થાનકને ત્યાગ કરવો. ૫૭ રાજાએ નિષેધ કરેલા દેશમાં જવું નહિ. ૫૮ એક બે કલાક ધાર્મિક પુસ્તક વાંચવાની ટેવ પાડવી. ૫૯ નીતિમય જીવન ગુજારવું. અનીતિ કરી અને લોક
બગાડવા નહિ.