________________
(૨૯)
આસક્ત છે, તે જ કદાપિ નરક-તિર્યંચગતિને પ્રાપ્ત કરે જ નહિ, જેમ ચક્ષુવાળો માણસ કૂવામાં ન જ પડે. આત્મધ જે જીવને પ્રાપ્ત થયે હોય છે, તેને બાહ્ય વસ્તુની ઈચ્છા પણ થતી નથી. જેમ અમૃતને આસ્વાદ કરનારને ખારું પાણી પીવું ન ગમે તેવી રીતે ખારા પાણી સમાન સંસારના ખોટા પદાર્થો ઉપર આત્મબેધવાળા જીવને આસક્તિ થાય જ નહિ.
આત્મબોધ પ્રાપ્ત કરનાર જીવને હંમેશાં અપૂર્વ આનંદ જ પ્રાપ્ત થાય છે. શાથી? કે તત્વશ્રદ્ધાન થવાથી કર્મબંધનાદિ સ્વરૂપને તે સારી રીતે જાણે છે; જેમકે–
આ જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ–આ ચાર કર્મબંધનના હેતુ વડે કરી સમયે સમયે આયુ છેડીને સાત કર્મને બાંધે છે. તે જ્યારે ઉદયમાં આવે ત્યારે આ આત્મા સ્વયમેવ ભેગવે છે, બીજું કઈ સહાયક થતું નથી. આયુકમ આખા ભવમાં એક જ વાર બંધાય છે. જે ગતિનું આયુ બાંધ્યું હોય ત્યાં આ આત્મા એકલો જ ચાલ્યો જાય છે, બીજું કઈ સાથે આવતું નથી. વળી દ્રવ્યાદિ ઈષ્ટ વસ્તુને વિયોગ થાય છે ત્યારે તે વિચારે છે કે “મારે પરવસ્તુને સંબંધ નષ્ટ થયો, મારું દ્રવ્ય તે આત્મપ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ લક્ષણવાળું છે, તે કઈ ઠેકાણે જવાનું નથી. વળી કદાચ કઈ દ્રવ્યાદિ વસ્તુને લાભ થાય છે ત્યારે વિચારે છે કે મારે આ પદુગલિક વસ્તુને સંગ અમુક મુદત સુધી થયો છે તે તેમાં મારે મેહ શા માટે કરે? વાસ્તવિક રીતે જોતાં તે કઈ મારું નથી. વળી વેદનીય