________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ - ઢાળ બીજી
(મુજે છોડ ચલા વણઝારા–એ દેશી.) જિનકલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી. એ આંકણી રાણી રત્નાવતી સતી ભાવે, આઠમ દિન પિષહ ઠાવે ,
તવ રત્નશેખર રૂપ ધારી. આ૦ ૧ માયાવી રાય કહે રાણી, શું જુવે છે આંખે તાણ રે;
રમવા આવ્યા પ્રાણ પ્યારી. આ૦ ૨ તું કામરાય રાજધાની, મારું કહ્યું તું તેને માની રે;
નહિ તે શોક લાવીશ હારી. આ૦ ૩ ન ચલી ચતુરા તસ વયણે, કામાગ રતી નહિ નયણે રે,
ઈશાને સુરી સુખકારી. આ૦ ૪ રત્નપુરમાં વળી અવતરશે, રાજ્યકુલમાં જન્મને ધરશે રે,
બે જણ વરશે શિવનારી. આ૦ ૫ એમ આઠમ દિન જે પાલે, તે અષ્ટકમ નિજ બાલે રે,
ટાલે દુનિયા નઠારી. આ૦ ૬ ધનાઢય નામે શેઠ સાર, પણ આઠમ વિરાધનારે રે,
થ યંતર સુગતિ હારી. આ૦ ૭ કલ્યાણક તિથિએ કહીએ, દશ જિનનાં એકાદશ લહીયે રે;
ઓવન જન્મ મોક્ષ અણગારી. આ૦ ૮ આઠમ તપસ્તવન કરવા, આદિ જિનમંડળ પાપ હરવા રે,
કરે વિનતિ વિનય વિચારી. આ૦ ૯ ઓગણીસે બેતેર સાલે, દીવાલી પર્વ શુભ ચાલે રે,
મન્દસેરમાં રહી માસ ચારી. આ૦ ૧૦