________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ અરિહંત પદ આરાધતાં, તીર્થંકર પદ પાવે; જગ ઉપકાર કરે ઘણે, સિદ્ધો શિવપુર જાવે. ૨ સિદ્ધપદ યાતાં થકાં, અક્ષય અચલપદ પાવે; કર્મ કટક ભેદી કરી, અચલ અરૂપી થા. ૩ આચારજ પદ ધ્યાવતાં, જુગપ્રધાન પદ પાવે; જિનશાસન અજવાલીને, શિવપુર નયર સેહાવે. ૪ પાઠક પદ ધ્યાવતાં, વાચક પદ પાવે; ભણે ભણાવે ભાવસું, સુરપુર શિવપુર જાવે. ૫ સાધુપદ આરાધતાં, સાધુપદ પાવે; તપજપ સંયમ આદર, શિવસુંદરીને કામે. ૬ દર્શન નાણપર ધ્યાવત, દર્શન નાણું અજુવાલે; ચારિત્ર પદ દયાવતાં, શિવમંદિરમાં મહાલે, ૭ કેસર કસ્તુરી કેવલી, મચકુંદ માલતી મહાલે; સિદ્ધચક સેવું ત્રિકાલ, જેમ મયણા ને શ્રીપાલે. ૮ નવ આંબેલ નવવાર શિયલ, સમકિત સુપાલે; શ્રી રૂપવિજયકવિરાયને, માણેક કહે થઈ ઉજમાલો. ૯
સ્તુતિ શ્રી મહાવીર જિન સ્તુતિ ઉપશમ રસમાં મગ્ન સદા જે, પ્રસન્નદષ્ટિ સદા, વિકસિત કમલ સમ જસ વદન, સ્ત્રી સંગ નહિ કદા; અહે કરજુગલ તે પણ જાસ, શસ્ત્રાદિકે વછેર, શ્રી મહાવીર સત્યહિ દેવ, રાગ દ્વેષ નિત. ૧