SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ મફત આપવામાં આવે છે. નવકેટિએ એટલે નવપ્રકારે વિશુદ્ધ, અર્થાત્ હનન (હણવું), પચન (રાંધવું, અને કયણ (ખરીદવું ન કરવું, ન કરાવવું, ન અનુમેદવું. સાધુ નિમિત્તે એમાંથી એક પણ ન પ્રકાર નહિ આચરવાને. ગૃહસ્થ પિતાના નિમિત્તે જે બનાવ્યું કે ખરીદ્યું હોય તે સાધુની અપેક્ષાએ શુદ્ધ હોઈ શકે. આમાં હનન એટલે કાપકુપ, છેદનદન વગેરે. દા. ત. કેરી કે કાકડી છેલી, કાપી કે છુંદી. પચન એટલે નિર્જીવ પણ ચખા જેવી વસ્તુ રાંધી તે. ક્યણ એટલે બજારમાંથી કેળાં મીઠાઈ વગેરે ખરીદી છે. આ ત્રણેયમાંનું કાંઈ પણ સાધુના ઉદ્દેશથી કરાય નહિ. સાધુ જાતે ન કરે, તેમ ગૃહસ્થ પાસે કરાવે પણ નહિ, અને ગૃહસ્થ કરેલું હોય તેને સારુંય માને નહિ. એમ ૩૪૩=૯ કેટિ થઈ. જેમ નિર્દોષતાની સાધુએ જાતે કાળજી રાખવાની તેમ ગૃહસ્થ પણ સાધુને દેષ ન લગાડવાની ચેકસાઈ રાખવી જોઈએ, “હું સાધુને નવ કેટિ વિશુદ્ધનું દાન કરૂં; એ તમન્ના જોઈએ. તે એ ધર્મોપગ્રહદાન અર્થાત્ સાધુધર્મને ટેકારૂપ, ઉપકારક દાન કહેવાય, બાકી તે પિતાને માત્ર દાનધર્મને ટેકારૂપ, ઉપકારક દાન કહેવાય. બાકી તો પિતાને માત્ર દાનધર્મને લાભ લેવાની જ દષ્ટિ હોય અને પછી સાધુ નિમિત્તે હનન, પચન, કયણ, કરે, કરાવે, ત્યાં સાધુના ચારિત્રધર્મને પિષણ આપવાની વાત ક્યાં રહી? ઉલટું ચારિત્રને ખેડ લગાડી. માણસ ભૂલ ક્યાં જાય છે? જ્યાં પિતે આગ્રહ રાખે છે કે હું સાધુને અમુક વસ્તુ જ ખરીદીને કે બનાવીને વહેરાવું. એના બદલે જે એવી
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy