________________ સયોગીકેવળી ગુણસ્થાનક 337 कपाटमिति शब्द्यते, तथा समुद्धातकरणवशानिर्गतानामात्मप्रदेशानां पूर्वापरदक्षिणोत्तरासु दिक्षु પાદિસંસ્થાનાવસ્થાનાન્ પાર્વસિદ્ધિઃ' - આવશ્યકચૂર્ણિ, 9/67/53, પાના નં. 499 અન્યત્ર પંચસંગ્રહ-કર્મપ્રકૃતિ વગેરેમાં બીજા સમયે પૂર્વ-પશ્ચિમ આત્મપ્રદેશો પ્રસરાવે અથવા ઉત્તરદક્ષિણ પ્રસરાવે તેમ કહ્યું છે - “પ્રથમસમયે વાહતઃસ્વારી પ્રમાણપૂર્વેમથશ નોત્તપર્યાત્મિપ્રદેશનાં दण्डमारचयति, द्वितीये समये पूर्वापरं दक्षिणोत्तरं वा कपाटं, तृतीये मन्थानं, चतुर्थेऽवकाशान्तरपूरणं, પશ્ચમેવાણાન્તરાપ સંહાર, પB મથ:, સરખે પાટસ્થ, મણને વશરીરસ્થો મતિ ' - કર્મપ્રકૃતિના સત્તા પ્રકરણની ગાથા 55 ની ઉપા. યશોવિજયજી કૃત વૃત્તિ. અહીં “મન્થાન' શબ્દનો અર્થ કર્યો નથી. સ્થિતિઘાત વગેરે - કેવળી સમુદ્ધાતના પ્રથમ સમયે વેદનીય વગેરે ત્રણ અઘાતી કર્મોની સત્તાગત પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિના અસંખ્યાતા બહુભાગોનો નાશ કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે છે. તે જ સમયે 25 અશુભ પ્રકૃતિના રસના અનંતા બહુભાગોનો નાશ કરી એક અનંતમો ભાગ શેષ રાખે છે. વળી તે જ સમયે સત્તાગત 39 શુભપ્રકૃતિના રસને અશુભ પ્રકૃતિના રસમાં પ્રવેશાવીને તેનો નાશ કરે છે. 25 અશુભ પ્રકૃતિઓ = અસાતા વેદનીય, નીચગોત્ર, સંઘયણ 5, સંસ્થાન 5, અશુભ વિહાયોગતિ, અશુભ વર્ણાદિ 4, ઉપઘાત, અપર્યાપ્ત, અસ્થિર 6 39 શુભ પ્રકૃતિઓ = સાતા વેદનીય, મનુષ્ય 2, દેવ 2, પંચેન્દ્રિયજાતિ, શરીર 5, અંગોપાંગ 3, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભ વિહાયોગતિ, શુભ વર્ણાદિ 4, ઉપધાત વિના પ્રત્યેકની 7, ત્રસ 10, ઉચ્ચગોત્ર. 1. દિગંબરમત - પ્રથમ સમયે કોઈક ન્યૂન ચૌદ રાજલોક જેટલો દંડ કરે છે - “દાં નીત્તે પરત્વે વાતવત્નનિવિષે जीवके प्रदेश न फेलैं हैं, ताक् तिनके घटावनेके अर्थि किंचिदून कह्या है। ......बहुरि तीसरे समय प्रतर करे हैं। तहां વાતિવર્તય વિના મવશેષ સર્વત્નોવિર્ષે માત્મા પ્રવેશ પૈત્ન E' ચોથા સમયે વાતવલય પૂરી દે છે. “વદુર ચતુર્થસમયવિષે નોપૂરા હો તો વાતવન હિત સર્વત્નોવિર્ષે માત્મા પ્રવેશ ને ફેં’ - Hપણાસાર ગાથા ૬૨૩ની હિંદી ટીકા. 2. કર્મગ્રંથના મતે આતપ-ઉદ્યોતનો ક્ષય અનિવૃત્તિકરણના બીજા ભાગે થાય છે. આવશ્યકચૂર્ણિકાર વગેરેના મતે આતપ-ઉદ્યોતની બદલે અશુભવિહાયોગતિ અને અપર્યાપ્ત નામકર્મનો ક્ષય અનિવૃત્તિકરણના બીજા ભાગે થાય છે. તેથી અહીં 39 પ્રકૃતિમાં આતપ-ઉદ્યોતની ગણતરી કરી છે તે આવશ્યકચૂર્ણિકારના મતે જાણવી. કર્મગ્રંથના મતે અહીં આતપ-ઉદ્યોત વિના 37 પ્રકૃતિ થાય. એ જ રીતે ઉપર જે 25 અશુભ પ્રવૃતિઓમાં અશુભવિહાયોગતિ અને અપર્યાપ્ત નામકર્મની ગણતરી કરી છે તે કર્મગ્રન્થના મતે જાણવી. આવશ્યકચૂર્ણિકારના મતે ત્યાં અશુભવિહાયોગતિ અને અપર્યાપ્ત નામકર્મ વિના 23 પ્રકૃતિ થાય. આમ અહીં બે મત સંભવે છે. તત્ત્વ કેવળીગમ્ય છે.