SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અા અા - મહારાજાની તીર્થયાત્રા :- ] » ત્યાર પછી મહારાજા સિદ્ધરાજે સક્ષોભિત હૃદયે પુરોહિતેના કહેવા પ્રમાણે પાટણથી સોમેશ્વર સુધીની યાત્રા પગે ચાલીને કરી. ત્યાં પણ તપશ્ચર્યા પૂર્વક મહાદેવને પ્રસન્ન કરતાં, મહાદેલે જણાવ્યું કે, “હે રાજન! કેટી ઉપાય કરવા છતાં તારા ભાગ્યમાં સંતતિ એમ નથી ! આ પ્રમાણે પિતાના ભાગ્યમાં સંતતિ નથી એમ ખાત્રી થતાં પાટણની ગાદીએ કમારપાળ આવે એ કલંકિત વસ્તુ છે. એમ માની. સિદ્ધરાજે નિશ્ચય કર્યો કે, ત્રિભુવનપાળ અને કુમારપાળને કોઈપણ હિસાબે મરાવી નાખવા.-આ પ્રમાણે બનેને જો વધ થાય તે જે કાર્યસિદ્ધિ થાય. પછી સુરતમાં જ સંતપ્ત થએલા સિદ્ધરાજે દેહસ્થળીમાં ત્રિભુવનપાળનું ભેદી રીતે ખુન કરાવ્યું. પોતાના પિતાના ભેદી મૃત્યુની હકીકત ચર પુરૂષો મારફતે કુમારપાને પાટણમાં મળી. જેથી તે તરત જ સાવચેત થયો. અને તેણે દેહસ્થળી તથા પાટણને ત્યાગ કરી પિતાના બનેવી અણોરાજને ત્યાં કુટુંબ સહિત સાંભર ગયે જે વખતે કુમારપાળની ઉંમર ૪૭ વર્ષની હતી. નોટ- સાંભરનરેશને સિદ્ધરાજે પોતાની કુંવરી આપી હતી તેમજ કુમારપાળની બહેન દેવળદેવીના લગ્ન પણ તેમની સાથે ધએલ હતા. તેમાં ઓછામાં પુરૂ આ રાજવી ગુજરાતની રાજગાદી મહત્વકાંક્ષા હોવાથી તેમને કુમારપાળને સાથ ન આપે. ૧. અણરાજ કુમારપાળની હકીકત સાંભળી. તેની બેન દેવળદેવી પણ અત્યંત દુ: ખી થઈ. છતાં કુમારપાળના સંરક્ષણથે સાંભર ઉ સારભરીને રાજ્ય પણ પાટણની સામે બાથ ભીડી શકે એમ ન હોવાથી કુમારપાળને વરક્ષણાથે ત્રિદંડી સન્યાસીને વેષ લઈ જ્યાં સુધી મહારાજા સિદ્ધરાજ છે ત્યાં સુધી ભાગ્યાધિન બની દેશાટન કરવુ એમ ઠરાવ્યું. જેની જન્મ કુંડલીના કેન્દ્રમાં ચક્રવતી રાજવી તરીકે ફળ આપનારા ગ્રહયોગ હોવાથી, રાજ્યગાદી સિદ્ધરાજ પછી કુમારપાળને જ નિણીત થએલી છે એવા કામારપાળને, ફરજીઆત એક જટાધારી તાપસના વેષમાં ર વર્ષ સુધી પર્યટન કરવું પડયું “આનું નામ તે કર્મગતી.” કુમારપાળની સ્ત્રી ભેપાળદેવી અને તેને પરિવાર દેહસ્થળીમાં રહેતા હતો. સિદ્ધરાજના ગુપ્તચર (જાસુસ) કુમારપાળ કર્યા છે તેની જાણ ખાતર કુમારપાળના કુટુંબની પાછળ ખાઈ પી લાગી રહ્યા હતા. રાજ મારાઓની સંખ્યાબંધ ટોળીઓ કુમારપાળનાં રકતપિપાસુ બની ખંભાત, ગુર્જર, માલવા, સૌરાષ્ટ્ર અને સાંભરની ભૂમિને ખુણે ખુણે ફરતી હતી છતાં, જેનું આયુષ્ય બળવાન છે એવા જટાધારી કુમારપાળને પકડવામાં કોઈ પણ સમર્થ થઈ શકયું નહિ,
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy