SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ [મહાને ગુજરાત અનેક રાજ સભામાં નટખટથી ધાંધલ જમાવી જય પામવા પેંધેલા આવા વાદીને, ઉભેજ રહેવા દીધું નથી, બલવા પણ દીધે નથી, ને આપના પ્રભાવને જીવતે જાગતે વિજ્ય છે. આવાઓજ ધર્મ માર્ગ પથિકમાં વૈમનસ્ય ફેલાવે છે. જ્યારે આપ જેવા સમભાવ સ્થાપે છે. ખટપટી વાદીની ખટપટને નાશ એ ખાસ આવશ્યક હતે. એ નિમેષમાત્રમાં થઈ ગયે. સુરિજી! આપના પ્રભાવને આ સાક્ષાત્કાર કેમ વિસરાય ? આ પ્રમાણે સુરિજીનું ગૌરવ કરી તેમને મહારાજાએ “જયપત્ર” અર્પણ કર્યું. યથારાજા તથા પ્રજા પછી રાજદરબારથી શ્રી વીરસુરિજી ઉપાશ્રય પધાર્યા, ગોવિંદાચાર્યજીએ ગૌરવથી સન્માન્યા. રાજવી તરફથી તેમને વારંવાર દરબારમાં પધારવાનું નિમ ત્રણ મળતું, અને તેઓ પધારી શાસ્ત્રાર્થથી પ્રભુના શાસનની શોભા વધારતા સમસ્ત ગુજરાતમાં તેમનું અપૂર્વ માન વધ્યું. પાટણની સભામાં તે તેવું માન હોય એમાં નવાઈથી! શ્રી વીરસુરિજીના શિષ્ય શ્રી છનદેવસૂરિએ પણ શાસનની અપૂર્વ સેવા બજાવી છે. તેઓ પણ શ્રી વીરસિંહ સુરિજીની માફક મહારાજા જયસિંહના સલાહકાર તથા ધર્મ જ્ઞાનદાતા રહ્યા હતા. મહારાજા તેમને રાજમહાલયે બેલાવીને, સત્કારીને પણ ધર્મ સાંભળતા, તેમજ ઉપાશ્રયે જઇને પણ અતિ વિનયથી શ્રતનું શ્રવણ કરતા. ચા ર એ ન્યાયે પ્રજાને મેરે ભાગ સહજ જ્ઞાનપિપાસુ તથા ધર્માનુરાગી હતે. અત્રે એક વાત કહેવી આવશ્યક છે કે ગુર્જરનરેશ પિતે શિવધર્મનુયાયી હોવા છતાં તેમનું વલણ જૈન ધર્મ પ્રત્યે ઉચ્ચકક્ષાની ન્યાયવૃત્તિવાળું હતું. મહારાજનું કથન: અમરાપુરી છે દેવની સાંખ્યમતના વિચિત્ર સિદ્ધતિને જીતવા જનાચાર્યોજ કાયમ સમર્થ ગણાય છે. સાંખ્યવાદીઓને સામને વેદાંતીઓ મોટા ભાગે કરી શકતા નથી, તેમજ બહુદાએ તેઓ તેમને પરાજય પમાડી શકતા નથી. સર્વસના મતના આધારે જૈનાચાર્યોજ તેમને સરલતાથી પરાસ્ત કરી શકે છે. પાટણની રાજસભામાં તેમજ સમસ્ત ગુજરાતમાં જૈનાચાર્યોનું સામર્થ્ય અને મહત્તા અપૂર્વ
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy