SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૧ પાટણની રાજસભાને ધર્મવાદ] * સમર્થ જૈનાચાર્યને ભર સભામાં ભિક્ષક કહી તેમનું અપમાન કરનાર અવંતિપતિ-દુરાચારી રાજવી ગદંભીલના કેવા બુરા હાલ થયા હતા. તેને આપને કાંઈ ખ્યાલ આવે છે ખરો ? ત્યાગી મહાત્માઓનું ભરસભામાં આ પ્રમાણે માનભંગ કરવું તે શું સંસ્કારી રાજન માટે ઉચીત ગણાય ખરૂ? જે ત્યાગી સંસ્થાએ ગુર્જર ભૂમિને સંસ્કારી અને ધર્મિ બનાવવામાં અવિરત સાથ આપ્યો છે, જે ત્યાગી સંસ્થાએ રાષ્ટ્રધ્ધાર અને ધબ્બારમાં જીવનની સાર્થકતા માની, પિતાના પ્રાણથીએ જે ભૂમિને વહાલી ગણી. તેજ સંસ્કારી ધર્મભૂમિનો ભાન ભુલ્યો ભૂપાળ, શું ? આજે ધર્મ મર્યાદાને લેપ કરે છે ? આજે આ હું શું જોઉં છું ! પ્રભુ! પ્રભુ! એ અધિષ્ઠાયક દેવી દેવતાઓ આ ધર્મભૂમિના આપ સંરક્ષક બનશે. અને શાસનને દીપાવશે. રાજન ! ઘણા વખતથી તીર્થયાત્રાર્થે જવાની મારી તીવ્ર ઈચ્છા હતી પરંતુ તારા ધર્મસ્નેહને લઈ, પાટણમાં કેવળ ધર્મોદ્યોતાળે રહ્યો હતે. સમજાય છે કે, પાટણથી વિહાર માટેનો કાળ હવે પરિપકવ થયે છે, તેથી જ પાટણના ત્યાગ માટે તૈયાર છું. અને રાજઆજ્ઞાને વધાવી લઈ હું પાટણથી આવતી કાલે સવારના જ વિહાર કરવાનો છું. જેમાં બે પ્રકારના લાભ છે. એક તો મને તીર્થયાત્રા અને ધર્મ પ્રચારાદિને લાભ વિહારના યોગે થશે, ને બીજે લાભ તને મારી દશા જોવા મળશે. હાથક કણને આરસીની શી જરૂર ? ધર્મલાભ! સર્વે સભાજનો અને રાજન આપ સર્વેને, ધર્મ ધ્યાનમાં તતપર રહેજે ! સુરિજીના સંયમને પ્રભાવઃ ધન્ય જૈન શાસન! આખી સભા ક્ષોભ પામી, એ ક્ષેભે ગર્વિષ્ટ રાજાનું હૃદય પણ ખળભળી ઉઠયું, ને ડંખવા લાગ્યું. ઘણી આનાકાની કરી પણ સુરિજીએ હવે પાટણ છેડવાને દ્રઢ નિશ્ચય કર્યો હતે - બીજે દીવસે વિહાર કરી જવા માટે દરબારગઢના દરવાજા નજીક ભરીશ્રી પધાર્યા. વીદાય વખતે સન્માનવા રાજ સામતે, સરદારે, સેનાપતિ
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy