SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રાજમાતાની ધ્યેય સિદ્ધ] » મહારાણી મીનળદેવીએ પિતૃકુળ કલ્યાણ અર્થે સેમેશ્વર મહાદેવની યાત્રાએ જવું, જ્યાં વિદત્ત એવા બાહાણને પાપ ઘટનું દાન આપવું. જેથી પાપનું નિવારણ થઇ શકશે” રાજમાતાએ પણ તેમાં પુરતી સમંતિ આપી. જેને તુરતજ પ્રબંધ કરવામાં આવ્યું. રાજમાતા કર્ણાટકને પ્રતિનિધિ જે તેમનો પિતરાઈ ભાઈ થતો હતો તેને સાથે લઈ પ્રભાસ પાટણ ગયા ત્યાં જઈ વિદ્વાન એવા વેદજ્ઞ એક રાજ પુરોહિતને બોલાવી માતાએ જ સુવ્યું કે, આપ અમારા ત્રણે કુળનું પાપ માથે લેતા હોય તે, હું આપને ત્રણે કુળનું દાન મનવાંછીત રીતે ઉદારતાથી આપું. સમર્થ જ્ઞાની એવા પુરોહિતે રાજમાતાને સંતોષ થાય તે પ્રમોણે દાન લેવાનું વચન આપ્યું. રાજ માતાનું પાપઘટ દાન " જેમના વચનથી પરિપૂર્ણ સંતોષ થએલ છે તેમજ જેમણે શાસ્ત્ર અને ધર્મ ઉપર અવિચલ શ્રદ્ધા છે, એવા પરમ પવિત્ર રાજયમાતા મીનળદેવીએ આત્મસંતોષ પામી, આ બ્રહ્મદેવને હાથી, ઘોડા, સુવર્ણ અને રત્નોથી ભરપૂર (સવા કરોડ કિંમતને) પાપ-ઘડાનું દાન આપ્યું. આ સમયે આ રાજયપુરોહિતદેવ એક દરિદ્ધિ સ્થિતિના પરંતુ વિદ્વાન ક્રિયાકાંડ શ્રેહાદેવને પિતાની સાથે લાવેલા હતા. મહારાણુ પાસેથી કિંમતી દાનને સંક૯પ મેળવનાર રાજયપુરોહિતે મહારાણુના દેખતાં જ મળેલું સર્વે પૂણ્યદાન, તેમજ પિતાના કુટુંબનું દાન તે બ્રહ્મદેવને સંકલ્પપૂર્વક અર્પણ કર્યું, ' આ જાતની પરહિતની ઉદારતા જોઈ હૃદયમાં સાનશ્ચર્ય પ્રાપ્ત થવું છે એવાં મહારાણીએ રાજપુરોહિતને પૂછયું કે, “હે પુરોહિતજી? આપે આ પ્રમાણે પ્રાપ્ત થયેલ કીમતી દાન તેમજ તમારૂ પૂણ્યદાન આ બ્રહ્મદેવને કયા કારણોસર અર્પણ કર્યું. અને તેને અર્થશે ?' જ્ઞાની એવા પુરોહિતે મહારાણી, મુંજાલ મહેતા અને તેમની સાથે રહેલ કર્ણાટક દેશના ખાસ પ્રતિનિધિ સમુખ જણુવ્યું કે, “હે રાજયમાતા !... પૂર્વ જન્મના નિર્ણિત યોગના કારણે અને લીઘેલ પણના અંગે આપ આ જન્મ ભૂમિ ગુજરની મહારાણી * *.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy