SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ન કરવાથી શ્રુત નાશ પામે છે તેમ એ અવસ્થામાં વૈયાવચ્ચ પણ નાશ પામે છે એટલે કે વૈયાવચ્ચ થતી નથી, છતાં અહીં ચારિત્ર, શ્રુત અને વૈયાવચ્ચ શબ્દોથી ચારિત્ર, શ્રુત અને વૈયાવચ્ચથી ઉપાર્જેલા શુભ સંસ્કાર લેવાના છે. કહેવાનું તાત્પર્ય આવું છે-જીવે ચારિત્ર અને શ્રુત દ્વારા જે શુભ સંસ્કાર ઉપાર્જ્ય છે, તે જીવ જ્યારે દીક્ષાત્યાગ વગેરે અવસ્થામાં અવિરતિવાળો થાય ત્યારે પ્રમાદાદિથી / સાંસારિક પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવા આદિથી તે ગુણના સંસ્કારો નાશ પામી શકે છે, જ્ઞાન-ચારિત્રના પરિણામો નષ્ટ થઇ શકે છે, જ્યારે વૈયાવચ્ચમાં આવું થતું નથી. વૈયાવચ્ચથી ઉપાર્જેલા શુભ સંસ્કારો એ વૈયાવચ્ચ અપ્રમાદરૂપ હોવાના કારણે કોઇ પણ અવસ્થામાં નાશ પામતા નથી. બીજા ભવમાં પણ સાથે આવે છે, કારણ કે વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. આ અપેક્ષાએ જ કહ્યું કે, ‘બીજુ બધું નાશ પામે છે પણ વૈયાવચ્ચ નાશ પામતી નથી.’ આમ વૈયાવચ્ચનું આવું માહાત્મ્ય સમજીને વૈયાવચ્ચમાં હંમેશા ઉદ્યમ કરવો જોઇએ, પણ વૈયાવચ્ચમાં પ્રમાદ ન કરવો જોઇએ. (૪) ગુરુવૈયાવચ્ચ એ ભાવશ્રાવકનું લિંગ છે. ગુરુવૈયાવચ્ચ આત્મામાં રહેલા ભાવશ્રાવકપણાને જણાવે છે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે વાધ્યાય વચ્ચે સ્વ ઓગણ ( (૫) ઉત્તરાધ્યયનસૂત્રના ‘સમ્યક્ત્વપરાક્રમ’ નામના અધ્યયનમાં ગૌતમસ્વામીજીએ પ્રભુવીરને પ્રશ્નો પૂછ્યા છે અને પ્રભુએ સચોટ જવાબો આપ્યા છે. ગૌતમસ્વામીજીએ પ્રશ્નોમાં વિવિધ આ 'कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहाढलृ गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ||३||' અર્થ : જેણે વ્રત લીધા હોય, શીલવાન હોય, ગુણવાન હોય, વ્યવહારમ સરળ હોય, ગુરુની સેવા કરતો હોય, પ્રવચનમાં કુશળ હોય. આવો ભાવ પક્ષ હોય. અને ગુણોના ફળો પણ પૂછ્યા છે અને પ્રભુએ જવાબોમાં ફળો બતાવ્યા છે. માત્ર એક જ પ્રશ્નના જવા નામકર્મ બંધાય.’ બીજા કોઇ પ્રશ્નના જવાબ એ પ્રશ્ન છે- ‘હે પ્રભુ ! વૈયાવચ્ચથી જીવને સમર્પણમ્ ૬૭
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy