SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની તો આપણે અવશ્ય મજૂરી કરતા પણ વધુ ભક્તિ કરવી જોઇને, તેમના બધા વચનો સહન કરવા જોઇએ. તેમનું બધું કાર્ય કરવું જોઇએ. તેમનો પડતો બોલ ઝીલવો જોઇએ. તેમને બધી રીતે ખુશ રાખવા જોઇએ. ગુરુની ભક્તિથી આપણી મુક્તિ નિકટ થાય છે. માટે ગુરુની ભક્તિમાં જરાય આળસ કે પ્રમાદ કરવા નહી. ગુરુને ભક્તિની અપેક્ષા નથી હોતી. પણ ગુરુની ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય બને છે. ગુરુભક્તિ કંઇ ગુરુ ઉપર ઉપકાર કરવા માટે નથી કરવાની, પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે કરવાની છે. તેથી ગુરુની ભક્તિ એ હકીકતમાં આપણા આત્માની જ ભક્તિ છે. ગુરુની ભક્તિની ઉપેક્ષા કરીને કુશિષ્યો જે બાહ્ય ફળો મેળવવા ઝંખે છે તે બધા બાહ્ય ફળો ગુરુની ભક્તિના આનુષંગિક ફળ (byproduct) તરીકે મળવાના જ છે, પણ સાથે કર્મનિર્જરાનો મહાન લાભ પણ થાય છે. કશિષ્યો તો ઉભયભ્રષ્ટ થાય છે. ગુરુભક્તિની ઉપેક્ષા કરીને મેળવવા ઇચ્છેલ બાહ્ય ફળો તેમને મળતા નથી, કેમકે ગુરુભક્તિની ઉપેક્ષા કરવાથી તેમનું પુણ્ય ઘટી જાય છે, અને ગુરુભક્તિ ન કરી હોવાથી તેમને કર્મનિર્જરા પણ થતી નથી. આમ ગુરુભક્તિ કરનારને બમણો લાભ થાય છે અને ગુરુભક્તિની ઉપેક્ષા કરનારને બમણું નુકસાન થાય છે. ટુંકમાં, બધા ઉપાયોથી ગુરુના ભક્તિ અને બહુમાન કરવા. ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy