SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 'ગુરુની આશાતના આશાતના એટલે ગુરુ પ્રત્યેનો અવિનય. સામાન્યથી ગુરુની આશાતનાઓ તેંત્રીસ પ્રકારની છે. તે આ પ્રમાણે - (૧) પુરોગમન - કારણ વિના ગુરુની આગળ ચાલવું તે. કીડી વગેરે જોવા, માર્ગ બતાવવા વગેરે માટે આગળ ચાલે તો જયણા સમજવી. (૨) પક્ષગમન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ બાજુમાં સાથે ચાલવું તે. (૩) આસગમન - ગુરુની પાછળ અતિનજીકમાં ચાલવું તે. તેનાથી પગ અથડાય, શ્લેખ લાગે, વાયુ લાગે વગેરે આશાતના થાય. માટે જેટલા પાછળ રહેવાથી આવી આશાતના ન થાય તે રીતે ચાલવું. (૪) પુરસ્થાન - ગુરુની આગળ ઊભા રહેવું તે. (૫) પક્ષસ્થાન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ એક બાજુમાં ઊભા રહેવું તે. (૬) આસન્નસ્થાન - ગુરુની પાછળ અતિનજીકમાં ઊભા રહેવું તે. (૭) પુરોનિષાદન - ગુરુની આગળ બેસવું તે. (૮) પક્ષીનિષીદન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ એક બાજુમાં બેસવું તે. (૯) આસનિષદન - ગુરુની પાછળ અતિનજીકમાં બેસવું તે. (૧૦) આચમન - ગુરુની સાથે અંડિલ ગયેલો શિષ્ય ગુરુની પહેલા હાથ-પગની શુદ્ધિ કરે તે, વાપરતી વખતે ગુરુની પહેલા મુખ વગેરેની શુદ્ધિ કરવી તે. (૧૧) આલોચન - બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે પાછા આવ્યા પછી ગુરુની પહેલા ઇરિયાવહિયા કરવી તે. (૧૨) અપ્રતિશ્રવણ - રાત્રે ગુરુ પૂછે, “કોણ જાગે છે ? કોણ સૂતું છે ?' ત્યારે શિષ્ય જાગતો હોવા છતાં જાણે સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તે. ' (૧૩) પૂર્વાલાપન - બહારથી આવેલા ગૃહસ્થ વગેરેની સાથે ગુરુની પહેલા પોતે વાતચીત કરવી તે. સમર્પણમ્ ૩૭
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy