SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારે જ નહીં, અથવા અવસરોચિત આપવા યોગ્ય પ્રાધાન્ય આપે નહીં, એ બધો દુર્નય પ્રકાર છે. અવસરોચિત એકને મુખ્ય કરવો ને બીજાને ગૌણ કરવો એ અનેકાંતમય અમૃતદષ્ટિ છે. પૂર્વના કાળમાં ભરવાડણ દહીના મોટા ગોળામાં રવૈયો ફેરવતી વખતે રવૈયાને દોરીથી ફેરવતી હતી. એ વખતે એક છેડો ખેંચે ને બીજા છેડે ઢીલ મુકે.. એ રીતે રવૈયો ફેરવવાથી દહીમાંથી માખણ તૈયાર કરતી હતી.... પ્રમાણભૂત દહીમાંથી સાર તત્ત્વરૂપ માખણ મેળવવા નયોનો રવૈયો આ રીતે ફેરવવાનો છે. કોઇ વ્યક્તિ પોતાના પુત્રત્વ ધર્મને ખૂબ મહત્ત્વ આપે ને પતિત્વ ધર્મને સાવ કોરાણે મુકી દે, તો લોકો એને માવડીયો ગણે છે. એની પત્ની એને સન-બાય-કા.. કહે છે. તો જે વ્યક્તિ પત્નીના ઇશારે નાચતો થઇ જાય ને મા-બાપને તગેડી મુકે, એકલા પાડી દે... અપમાનિત કરી નાખે, તો એ પુત્રત્વ ધર્મને કલંકિત કરે છે.... એ જોરુ કા ગુલામ ગણાય છે. બાયડીઘેલો મનાય છે. મા-બાપના નિઃસાસા પામેલો તે જીવનમાં છેવટે બરબાદ થઇ જાય છે. ન્યાયાલયમાં એ જો ન્યાયાધીશ છે, તો ન્યાયાધીશપણું ધર્મ મધ્યસ્થ ભાવથી સિદ્ધ થાય છે, ત્યાં સગપણ ધર્મને આગળ કરે, તો એ ન્યાયાધીશ તરીકે નાલાયક ગણાય. જહાંગીરનો ન્યાય એટલા માટે જ વખણાયો કે ન્યાય કરતી વખતે તે સગા પુત્રના સગપણને ગૌણ કરી દેતા હતા. પણ એજ ન્યાયાધીશ જો ઘરે પણ ન્યાયની ભાષામાં વાત કરે તો ? હાઇકોર્ટના ન્યાયાધીશને એના આઠ વર્ણના ચીંટુએ રોતા રોતા કહ્યું - પપ્પા ! મમ્મીએ મને માર્યું. તરત એ ન્યાયાધીશ બોલી ઉઠ્યા = સુપ્રિમ કોર્ટમાં થયેલી સજા માટે હાઇકોર્ટમાં અપીલ કરી શકાય નહીં ! વાત આ છે કે નયો કોઇ ને કોઇ ધર્મને આગળ કરે છે, પણ સાચો નયાભ્યાસ એ ગણાય કે જે વખતે જે ધર્મને આગળ કરવાનો હોય, તે વખતે તે ધર્મને આગળ કરે. જો કે એકાંતવાદમાં તો આવી કોઇ વાત જ સંભવતી નથી, કારણકે એ તો દરેક વસ્તુને એક નિશ્ચિત સ્વભાવવાળું કાયમ માટે માની લે છે. એકથી વધુ સ્વભાવ પણ માને તો અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય. સમાધિનો પ્રાણવાયુ
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy