SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] ક્ષતિઓ રહી ગઈ હતી. તે ક્ષતિઓ દૂર કરીને, વિગતે ટૂંકાવીને આ વખતે તદન નવેસરથી જ નવાં દષ્ટિકોણથી લેખ લખ્યો અને અહીં છપાવ્યો છે. આ વિષયના રસિયા વાચકો ધીરજ અને શાંતિથી વાંચે જેથી લેખને ભાવ સમજી શકાય. મારી ભૂલચૂક કે ક્ષતિ લાગે છે તે જરૂર જણાવે. ૧. તીર્થંકરદેવની મૂર્તિ ઉપર ત્રણ છો કયા ક્રમે લટકાવવાં જોઈએ? ત્રણ છત્રવાળાં પહેલાં લેખને સંબંધ કેવલજ્ઞાન થતાંની સાથે શરૂ થાય છે. તીર્થ કરે કેવલી–સર્વજ્ઞ થયા એટલે દેવે વડે વિશેષ પ્રકારે પૂજતા થયા એટલે દેવ તીર્થકરના લકત્તર પુણ્યપ્રભાવથી અને પિતાની ભક્તિથી અષ્ટમહાપ્રાતિહાર્યની રચના કરે છે. પ્રાતિહાર્ય એટલે ચોકીદારની જેમ તીર્થકરની સેવામાં અવિરત રહેતી આઠ વસ્તુઓ. એમાં ચેથા પ્રાતિહાર્ય તરીકેનાં ત્રણ છ દે ભગવાન ઉપર કાયમ માટે ધરતા હોય છે. કેવલી અવસ્થાથી લઈને નિર્વાણુપર્યન્ત પ્રભુના મસ્તક ઉપર દેવનિર્મિત ત્રણ છત્રનું અસ્તિત્વ રહે છે. આ ત્રણ છે એક સરખાં આકાર–પ્રકારનાં છે કે ભિન્ન ભિન્ન પ્રકારનાં છે ? એ પ્રશ્નની છણાવટ પહેલા લેખમાં વિસ્તારથી કરવામાં આવી છે. ત્રણ છત્ર સરખાં નથી પરંતુ નાનાં-માં છે. અમુક આચાર્યો ભગવાનના માથા ઉપર દેવો ત્રણ છત્ર લટકાવે છે તેના ક્રમમાં માથા ઉપર પ્રથમ નાનું, પછી બીજુ મોટું અને તે પછી ત્રીજું એથીય મોટું, આ રીતે માને છે જેને હું “અવળાં” છો કહું છું. જ્યારે બીજી આચાર્યોના મતે ભગવાનના માથા ઉપર પ્રથમ મેટું, પછી બીજું તેથી નાનું અને ત્રીજું
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy