SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] સર્જક, અજોડ શાસનપ્રભાવક સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવના પટ્ટધર ઊંડા વિદ્વાન, આકર્ષક વક્તા અને જૈનશાસનપ્રભાવક, પ. પૂ. આ. શ્રી વિજ્ય પ્રતાપસૂરિજી મહારાજે તથા તેઓશ્રીના પદાલંકાર દ્રવ્યાનુગના સમર્થ વક્તા, અસાધારણ શાસનપ્રભાવક, સફલ વ્યાખ્યાનકાર પ. પૂ. યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે અને સાથે સાથે યુગદિવાકરશ્રીજીના શિષ્ય પૂ. મુનિશ્રી યશોવિજયજી (વર્તમાનમાં આ. શ્રી યશોદેવસૂરિજી) મહારાજે સાથે રહીને સંગીન ફાળો આપે છે અને આજે તે છેલ્લાં કેટલાંય વરસોથી આ સંસ્થાનાં પ્રકાશનનાં તમામ કાર્યો અને વ્યવસ્થા તેઓશ્રી (પૂ. યશોવિજયજી મહારાજ) સંભાળી રહ્યાં છે. આજે અમારી આ સંસ્થા એક વિશિષ્ટ પ્રકારનું પ્રકાશન કરી રહી છે તે બદલ સંસ્થા ધણે આનંદ અનુભવે છે. આ પ્રકાશનમાં ત્રણ બાબત ઉપર લેખો લખવામાં આવ્યા છે. આ જાતની ચર્ચા-વિચારણા અને અન્તમાં પાછો તેને નિર્ણય (રિઝલ્ટ) આપ એ એક મહત્ત્વની બાબત છે. લેખક પૂજ્યશ્રીએ મહત્ત્વની ઉપગી બાબત ઉપર ઘણું ચિંતન, મનન અને મંથન કર્યું છે. તેઓશ્રીની સંશોધનાત્મક મેધા, અને જહેમતને ખૂબ અભિનંદન ઘટે છે. આ લેખ વાંચનાર કોઈપણ વ્યક્તિને આચાર્યશ્રીજીની ઊંડી સૂઝભરી વિદ્વત્તાની, ઊંડા અને વ્યાપક સંશોધનની, જવાબ આપવાની એક લાક્ષણિક અને સંતોષકારક ભાષા તેમજ શૈલીથી પ્રભેદ થયા સિવાય નહીં રહે. આનંદ સાથે આશ્ચર્ય ઉપજાવે તેવી મહત્વની ઘટના એ છે કે સવળાં ત્રણછત્રનાં લેખના નક્કર, સાધાર અને નિર્ણયાત્મક વિધાનને, તપાગચ્છ મૂર્તિ પૂજક, ખરતરગચ્છ, ત્રિસ્તુતિકગ૭ અને તે ઉપરાંત
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy