SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અશાક-આસોપાલવ ] [ ૧૩૧ વગેરે અનેક સુશોભનેથી વિવિધ રીતે શણગારીને દર્શનીય, સુશોભિત બનાવેલાં, સમવસરણની પ્રવચન સભાના ત્રીજા ગઢને ઢાંકી દે, તેવા એકજન (ચાર ગાઉ)ના વિસ્તાર વાળા અશેકવૃક્ષ ઉપર પિતાની દૈવિક શક્તિ દ્વારા ચૈત્યવૃક્ષને સ્થાપિત કરે છે. આ રીતે તીર્થકરેનું મસ્તક અવિરતપણે હંમેશા બે વૃક્ષની છત્રછાયાથી મંડિત એટલે છવાયેલું જ રહે છે. વૃક્ષની શીતલ છાયામાં બારે પર્ષદા પરમશાંતિ અનુભવે છે. તાત્પર્ય એ નીકળ્યું કે અનાદિકાળથી અનંતકાળ સુધી જે તીર્થકરે થયા, જે થશે તે તમામને અશોકવૃક્ષ તે નિયમ મુજબ, કાયદેસર રીતે બધાયને સામાન્ય (Common) રહેવાનું જ. ફક્ત ચૈત્યવૃક્ષ એટલે જે વૃક્ષ નીચે બેધિકેવલજ્ઞાન પ્રાપ્ત થયું હશે, તે તે વૃક્ષ અલગ અલગ જ રહેવાનું અને તે વૃક્ષ અશોક ઉપર દેવે સ્થાપિત કરી સદાય તેનું બહુમાન કરશે અને તેનું મહત્વ જાળવી પ્રસિદ્ધિ આપશે. આમ આપેક્ષિક રીતે જૈન દર્શનમાં પણ વૃક્ષનું નમનીય, પૂજનીય સ્થાન ગણી શકાય. પૂજામાં કલ્પવૃક્ષનું ચાંદીનું પ્રતીક મૂકાય છે. શાંતિસ્નાત્રાદિમાં જવારારોપણ થાય છે. આ આપેક્ષિક રીતે વૃક્ષ પૂજાનું સૂચક ન ગણાય? આ કાળના ૨૪ તીર્થકર માટે જે વ્યવસ્થા છે, તે જ ભૂત-ભાવિ માટે સ્વીકારવી કે કેમ! આ માટે કઈ - ૧. સાસરણના ચિત્રમાં સમગ્ર ત્રીજે ગઢ (ખંડ) ઢંકાઈ જાય તે રીતે વૃક્ષ બનાવવાને ખ્યાલ બનાવનાર ઓછો રાખે છે. જો કે કયારેક ચિત્રકારને બનાવવામાં મુશ્કેલી પણ થાય છે, જેથી પુરૂં બતાવી શકતા નથી.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy