SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વાદે / 9 અભિધાવાદ, દીર્ધ અભિધાવાદ, લક્ષણવાદ, અલંકારવાદ, ચમત્કારવાદ, અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ, ફેટવાદ, રીતિવાદ, ચિત્યવાદ, વક્તિવાદ, ગુણવાદ, શબ્દાર્થવાદ, અખંડાઈવાદ, ધાતુવાદ, વગેરે સંખ્યાબંધ વાદેનાં નામ પ્રાચીન ધર્મગ્રંથમાં, વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ગ્રંથમાં, ન્યાય અને તર્ક શાસ્ત્રના ગ્રંથમાં, વેગ, તિષ, આયુર્વેદ વગેરેના ગ્રંથમાં આપણને જોવા મળે છે. આ બધા વાદે પરથી પ્રાચીન ભારતમાં બેંદ્ધિક વિકાસ કેટલી ઉચ્ચ કાટિ સુધી પહોંચ્યો હશે તેને આપણને ખ્યાલ આવે છે, કારણ કે પિતાને વાદ પ્રસ્થાપિત કરવો એ સહેલી વાત નથી. આ વિદેશમાં કેટલાક વદે એટલા સૂમ, ગહન અને જટિલ છે કે સામાન્ય માણસનો તે એમાં ચંચુપાત પણ ન થઈ શકે. પ્રાચીન સમયમાં ભારતમાં એવી પણ પ્રથા હતી કે પરસ્પર વિરુદ્ધ એવા વદમાં કેને વાદ વધારે સાચે છે અથવા ઊંચે છે તે નક્કી કરવા માટે સભાઓ યોજાતી. કેટલીકવાર એવી સભાઓ રાજ્યાશ્રયે જતી. પરંતુ રાજા પક્ષપાતી અને ગુણષી ન હોય તે જ તેવી સભાઓ સફળ થતી, નહિં તે વિદ્વાનોને અન્યાય થત કે ખોટી સજા થતી. એટલા માટે કહેવાતું કે યથાર્થવાદે વિદુષી અયસ્ક ન ગુuદ્ભવી રાની | તેમાં પરસ્પરવિરુદ્ધ વાદવાળા વાદીઓ અને એના શિષ્યો સામસામા બેસીને વાદયુદ્ધ કરતા. જે વાદી પોતે એમાં હારી જાય તે પોતાના શિષ્ય સાથે સામા પક્ષના વાદીને શિષ્ય બની જતા. ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર ગણધરો ભગવાન મહાવીર સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા, પણ અંતે પરાજિત થઈ ભગવાન મહાવીરના શિષ્ય બની ગયા. પરસ્પરભિન્ન મતવાળી વ્યકિતઓ વચ્ચે પ્રામાણિકપણે, નિષ્ઠાપૂર્વક, કેવળ સત્યની ગષણ માટે જ વાદ થતું ત્યારે તેની ફલકૃતિ ઘણી મટી રહેતી. પરંતુ વાદ જ્યારે બીજાને યેનકેન પ્રકારેણ પરાજિત કરવાના આશયથી જ જાતે ત્યારે તે વિકૃત સ્વરૂપ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy