SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચશેાવિજયજી / ૧૩૧ : કહેવામાં આવે છે અને તેના જવાબમાં આઠ કથાએ જ ખૂસ્વામી તરફથી કહેવામાં આવે છે. એ રીતે તેમાં સાળ કથાઓ ઉમેરાયેલી આપણને જોવા મળે છે. પરંતુ તે સેાળમાંથી કનકસેનાની દલીલના જવાબમાં જ ખૂસ્વામીએ કહેલી · વાનરની કથા ', અને નાગશ્રીની દલીલના જવાબમાં એમણે કહેલી ‘લલિતાંગકુમારની કથા' વસુદેવહિ'ડીમાં આવી જાય છે. એટલે કન્યાઓ સાથેની દલીલમાં બંને પક્ષની મળી ચૌદ વધુ કથાએ ઉમેરાય છે. આ ચૌદ કથાએનાં મૂળ પૂર્વેની કઈ કૃતિઓમાં રહેલાં છે એ સંશોધનના એક રસિક પ્રશ્ન છે. . ઉપાધ્યાય શ્રી યશેાવિજયજીએ શ્રી હેમચન્દ્રાચાય ના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ને બરાબર અનુસરી જ ંબૂસ્વામીની કથાનું નિરૂપણુ આ રાસમાં કર્યું છે. કેટલીક નાની નાની વિગતામાં પણ એમણે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ના આધાર લીધો છે અને કાઈ કાઈ સ્થળ તેા ( ઉ.ત., પહેલા અધિકારની ચેાથી ઢાલ, કડી ૯૪; ચોથા અધિકારની પહેલી ઢાલ, કડી ૧૫-૧૬, અને ૧૮-૧૯ ) કલ્પના, તર્ક કે અલંકાર પણ એમણું - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માંથી લીધાં છે. આમ છતાં, એક ંદરે રાસનું નિરૂપણ એમણે પેાતાની સ્વતંત્ર, મૌલિક શક્તિ અને દૃષ્ટિથી કર્યું છે. તેમ કરવામાં કેટલેક સ્થળે તે માત્ર મૂળ કથા પદ્યમાં આપે છે અને કેટલેક સ્થળે પ્રસંગ કે પાત્રને અડુલાવી નિરૂપણને કાવ્યની ઊંચી ક્રેાટિ સુધી પહેાંચાડે છે. પાંચમા -અધિકારમાં લલિતાંગકુમારની કથા પછીની કથાસામગ્રીનું આલેખન એમણે ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર' કરતાં ઘણું વધારે વિગતે આપ્યું છે અને તેમાં આઠ કન્યાએની જ બ્રૂકુમાર સાથે દીક્ષા લેવાની તત્પરતા, પ્રભવને જમ્મૂ કુમારે આપેલી શિખામણુ, સાથ વાડ જ ખ્કુમારના સંધનું રૂપક, જંબૂ કુમારનું દીક્ષા લેવા માટે નીકળવુ, અને ન્ને સમયે એમને જોવા ઉત્સુક બનેલી સ્ત્રીઓનું ચિત્ર ઇત્યાદિનું કવિએ અત્યંત હૃદયંગમ આલેખન કર્યુ છે. -6
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy