SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ યશેવિજયજી / ૧૨૯ દેવની કથા ગુરુએ કહી. ત્યાર પછી શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં શ્રી મહાવીર પ્રભુએ કહેલું વસુદેવનું ચરિત્ર વદેહિ’ડી'માં આપવામાં આવ્યું છે આમ ‘વસુદેવહિંડી'ની શ્રી જખૂસ્વામીની કથા આપણે જોઈ. એ પછી હેમચન્દ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એ કથા આપણને આ પ્રમાણે જોવા મળે છે : શ્રેણિક રાજા પેાતાના નગરમાં શ્રી મહાવીર પ્રભુ સમેાવસર્યો છે જાણી તેમને વંદન કરવા જાય છે. રસ્તામાં તેના સૈનિક પ્રસન્નચંદ્ર રાજર્ષિને જુએ છે અને તેમના વિશે વાત કરે છે. રાજા તે વિશે વીરપ્રભુને પૂછે છે અને વીરપ્રભુ તેમને પ્રસન્નચંદ્રના જીવન વિશે કહે છે. ત્યાર પછી રાજા છેલ્લા કેવળજ્ઞાની કાણુ થશે એ વિશે પૂછે છે અને ભગવાન એમને ચરમ કેવળ શ્રી જખૂસ્વામી વિશે કહે છે. તે સમયે અનાઢિય દેવ ત્યાં આવી પેાતાના કુળની પ્રશ ંસા કરે છે; અને એને વિશે રાજાએ કરેલા પ્રશ્નના જવાબમાં શ્રી વીરપ્રભુ ઋષભદત્ત અને જિનદાસની કથા કહે છે. પછી રાજા વિઘુન્માલી દેવ વિશે પૂછે છે અને તેના જવાબમાં પ્રભુ એમને ભવદત્ત અને ભવદેવના ભવની અને પછી સાગરદત્ત અને શિવકુમારના ભવની કથા કહે છે. ત્યાર પછી વિદ્યુન્ગાલી દેવ આવીને જકુમાર તરીકે અવતરે છે. પછી પ્રભવ ચારના પ્રસંગ આવે છે. તેને ઉપદેશ આપવા માટે અને તેની લીલાના જવાબ આપવા માટે જ ખૂસ્વામી અને મધુબિંદુની, કુબેરદત્તની અને મહેશ્વરદત્તની કથા કહે છે. ત્યાર પછી જ ખૂસ્વામી આઠ પત્નીઆને સમજાવે છે, અને તેમણે કથારૂપે કરેલી દલાલીના કથારૂપે જવાબ આપે છે. તેમાં સમુદ્રશ્રી ખક ખેડૂતની કથા કહે છે, જવાબમાં જબ્રૂસ્વામી કાગડાની કથા કહે છે; પદ્મશ્રી વાનરની કથા કહે છે, જવાબમાં જંબૂ સ્વામી અંગારકાની થા કહે છે; પદ્મસેના પુરપંડિતાની કથા કહે છે, જવાબમાં ઢ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy