________________
યશવિજયજી | ૧૧૫
નિજ ગુણ સંચે. મન નવિ પંચે, ગ્રંથ ભણી જનચે; ઉંચે કેશ ન મુચે માયા, તે ન રહે વ્રત પચે...ધન્ય
કવિએ અજ્ઞાની લેકેની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહાર કર્યા છે. જેઓ કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું માને છે તેને માટે કવિ લખે છેઃ
જે કષ્ટ મનિ મારગ પાવે, બળદ થાય તે સારે;
ભાર વહે જે તાવડે ભમત, ખમતિ ગાઢ પ્રહારે. આવા મુનિઓ અને તેમનાં આચરણે ઉઘાડાં પાડી કવિ ઉત્તમ મુનિઓનું ચિત્ર દોરે છેઃ
ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે, ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પેરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શરા, ત્રિભુવન જન આધારા. જ્ઞાનવંત જ્ઞાની શું મળતા, તન મન વાચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા.
વિવિધ દેશીઓમાં રચાયેલા સત્તર ઢાલના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકે અને મુનિઓનાં આચરણે, ખ્યાલો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના મુનિઓએ અને લોકેએ ઘણે બેધ લેવા જેવું છે.
શ્રી યશોવિજયજીએ સમ્યક્ત્વના સડસઠ બોલની સઝાય, અઢાર પાપ-સ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભની સઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યુગદષ્ટિની સજઝાય, સુગુરુની સજઝાય, પાંચ કુગુરુની સજઝાય, ચડ્યા-પડયાની સઝાય, અમૃતવેલીની સજઝાય નાની અને મેટ), જિનપ્રતિમાસ્થાન સજઝાયે, ચાર આહારની સજઝાય, સંયમણિ વિચાર સુઝાય-ઇત્યાદિ સઝાની રચના