SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયંછ | 8 ભાસે ઉપાધ્યાયજી મહારાજના જન્મ અને સ્વર્ગવાસનાં વર્ષો વિશે ચાલુ માન્યતામાં કેટલીક વિષમતા જગાડી એ વિશે આપણને ગંભીરપણે વિચારતા કર્યા છે. “સુજસવેલી ભાસ'માં જણાવ્યા પ્રમાણે ગુર્જર દેશમાં કડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતે. તેની પત્નીનું નામ ભાગદે. તેઓને જસવંત નામે ગુણવાન પુત્ર હતા. કુણગેરમાં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નવિજયજી કને ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુ પુરૂષનાં ચરણોમાં વંદન કર્યું, અને સદ્દગુરુના ધર્મોપદેશથી જસવંતકુમારને વૈરાગ્યને પ્રકાશ થયે. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જસવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જસવિજય (યશોવિજય) રાખવામાં આવ્યું. વળી, સભાગદેના બીજા પુત્ર, જસવંતના નાના ભાઈ પદ્મસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી દેવવિજ્યસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળને સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નવિજ્યજી ગુરુનાં સૌ પ્રથમ દર્શન શ્રી યશોવિજ્યજીને કનડું માં થયો હતો, અને તે સમયે તેમનાં માતાપિતા કનેjમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયજીને જન્મ કાર્ડ માં થયો હોય અને તેમનું બાળપણ પણ કનડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિશે અન્ય કઈ પ્રમાણે ન મળે ત્યાં સુધી એમની જભૂમિ કડું હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી* & કનેડું ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઇલને અંતરે આવેલું છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy