SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રાવકધર્મવિધાન વિના ઈચ્છાએકંઈમિથ્યા ચર્યા આચરવી પડે તે, બલાભિયોગ= કઈ બળવાનના હઠ કદાગ્રહથી મિથ્યાક્રિયા આચરવી પડે તે. દેવાભિયોગ કુલદેવી આદિકના આગ્રહથી વિના ઈચ્છાએ મિથ્યા કિયા આચરવી પડે તે, કાન્તારવૃત્તિકાન્તાર એટલે અટવી વિગેરે દુર્ગમ સ્થાન તેમાં વૃત્તિ=આજીવિકાને અર્થે (અટવી સરખા વિકટસ્થાનમાં આવી પડતાં જીવન નિર્વાહની આપત્તિના વખતમાં) કેઈ મિાકિયા આચરવી પડે અથવા ઉપલક્ષણથી રોગ આદિ અસહ્ય પીડાના કારણે કે મિથ્યા ાિ ઈચ્છા વિના આચરવી પડે છે. તથા ગુર્વભિગ=માત પિતા વિદ્યાગુરૂ આદિક ગુરૂજનના આગ્રહથી ઈચ્છા વિના કેઈ મિથ્યા કિયા આચરવી પડે છે. એ ૬ પ્રકારના અપવાદની છૂટ રાખવી તે ૬ આગાર કહેવાય. અહિં સર્વત્ર “અભિયોગ એટલે આગ્રહથી ઈચ્છા વિનાની પ્રવૃત્તિ” એ અર્થ છે. તાત્પર્ય એ છે કે ૬ પ્રકારની યતનામાં કહ્યા પ્રમાણે પરતીથી કને જે વંદનાદિકને નિષેધ કર્યો છે તે વંદનાદિ કિયાએ રાજા વિગેરે છના આગ્રહથી દ્રવ્યથી ( ભાવ વિના, ઈચ્છા વિના ) આચરતાં પણ સમ્યક્ત્વને હાનિ પહોંચતી નથી. એ ૬ છીંડી કહેવાય છે. ૬ ભાવના-શ્રાવકનાં ૧૨ વ્રતરૂપ વૃક્ષનું સમ્યકૃત્વ મૂળ છે એમ ચિંતવવું તે મૂળભાવના. સમ્યકત્વ એ ધર્મરૂપ નગરનું મુખ્ય દ્વાર છે એમ વિચારવું તે દ્વારભાવના. સમ્યકત્વ એ ધર્મરૂપ દેવપ્રસાદની પીઠિકા (જે ઉંચી વેદિકા સરખી પીઠબંધ-પ્રતિષ્ઠાન ઉપર પ્રાસાદ સ્થિર રહે તે પીઠિકા) છે એમ વિચારવું તે પીઠભાવના. જેમ મનુષ્ય પશુ વનસ્પતિ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy