SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પરિશિષ્ટ એ ત્રણે અથવા પ્રત્યેક પણ રોગનું બીજ છે) એટલે મોક્ષને મેળવવા માટે જે શુભ અનુષ્ઠાનની આવશ્યકતા છે તે શુભાનુકાનનું આદિ કારણ છે. અનાદિ યથાપ્રવૃત્તિકરણમાં વર્તતાને અશુદ્ધ નમસ્કારાદિ અનેક વાર હોય છે. પરંતુ તે પેગ બીજને ઉત્પન્ન કરતા નથી. એ ગનાં બીજ કયારે ઉત્પન્ન થાય ? તે કહે છે – चरमे पुद्गलावते तथाभव्यत्वपाकतः । संशुद्धमेतनियमात् नान्यदापीति तद्विदः ॥३॥ અર્થ –એ પ્રકારનું શુદ્ધ ગબીજ છેલ્લા પુદ્ગલ પરાવર્તામાં તથા પ્રકારના ભવ્યત્વ પરિપાકથી અવશ્ય (અવશ્ય શુદ્ધ) થાય છે, બીજા કેઈ પણ વખતમાં આ શુદ્ધ ગબીજ ઉત્પન્ન થતું નથી, કારણ કે છેલ્લા પુત્ર પરા પહેલાં જીવના પરિણામ સંકિલષ્ટ હોય છે, અને ભાવમાં અત્યંત વિશુદ્ધ અધ્યવસાય હોય છે, તેથી શુદ્ધ ગબીજને ઉત્પત્તિને (અથવા મિત્રાદષ્ટિની ઉત્પત્તિનો) કાળ આજ છે. (અર્થાત્ કેરી આદિ ફળને પાકવાના આરંભકાળ સરખો આ ચરમ પુત્ર પરા તથાભવ્યત્વના પરિપાકને પ્રારંભ કાળ છે. મેક્ષ ફળની અભિસન્ધિ પણ અહિંથીજ શરૂ થાય છે. આહારાદિ ૧૦ સંજ્ઞાઓને વિષ્ક (રોકાણ), વ્યકત ચેતના, ધર્મગીઓનાં દર્શન, વિયાવૃત્ય આદિ અનેક ધર્માનુષ્ઠાને અહિંથીજ અભિસંધિજપણે શરૂ થાય છે. જો કે એ ધર્માનુષ્ઠાને પૂર્વકાળમાં સર્વથા ન હેય એમ નહિ.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy