SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધ વિધાન વર્તમાન સમયમાં મારામાં સમ્યક્ત્વ છે એમ જાણવાનું વા કહેવાનું સાહસ ન કરવું. સમ્યક્ત્વની કરણીએ દંભ રહિત કરવી ઈત્યાદિ શુભ યાગમાં પ્રવૃત્તિજ ચાલુ રાખવી શ્રેય છે. પ્રશ્ન:નવતત્ત્વમાંથી સમ્યકત્વ કયા તત્ત્વમાં ગણાય ? ૪૦ ઉત્તરઃ—જીવતત્ત્વ, સવરતત્ત્વ, નિરાતત્ત્વ અને માક્ષતત્ત્વમાં ગણાય. કારણકે જીવતત્ત્વના ૧૪ ભેદમાં સન્નિપંચેન્દ્રિયાદિમાં સમ્યક્ત્વ ગુણ હોય છે માટે જીવતત્ત્વમાં, અને સમ્યક્ત્વ પ્રાપ્ત થયેજ ભાવસવર ને ભાવનિરા ગણાય માટે સંવર ને નિર્જરા તત્ત્વમાં ગણાય. મિથ્યાદષ્ટિના સવર અને નિર્જરા તે તાત્ત્વિક સવર અને નિર્જરા નથી. મેક્ષમાં તે સમ્યકત્વગુણ ક્ષાયિક ભાવે પ્રથમથીજ (અતિમાદિ ભવમાંજ) પ્રગટ થયેલ હોવાથી પ્રવર્તે છે. પ્રશ્નઃ—સ’વર તત્ત્વના ૫૭ ભેદમાં કે નિર્જરા તત્ત્વના ૧૨ ભેદમાં સમ્યક્ત્વ એવા કાઇ ભેદ નથી તે સમ્યક્ત્વને સવર નિર્જરામાં કેવી રીતે ગણવું ? ઉત્તર:—૫૭ ભેદમાં ને ૧૨ ભેદમાં સવમાં સમ્યક્ત્વ અનુગત-અન્તગત છે, માટેજ એ સવ ભેદા તાત્ત્વિક છે, અને જો જુદા ભેદ હાત તે શેષ સવ ભેદો મિથ્યાસ્વરૂપ થઈ જાત, માટે એ ભેદમાં સમ્યક્ત્વ ક્તિભેદ તરીકે નથી પરન્તુ સગત છે, જેથી એક પણ ભેદ સમ્યક્ત્વ રહિત નથી. જેમ અસ્તિઆદિ સમભગીમાં સ્થાત્ પદ સર્વાનુગત છે. તથા જેમ શ્રાવકનાં ૧૨ વ્રતમાં સમ્યક્ત્વ સર્વાનુગત છે, તેમ સંવર અને નિર્જરા સ'પૂણુ (સ' ભેદ) સમ્યક્ત્વમય છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy