SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ બાવની દિનચર્યા ર ધર્માચાર્ય ભાવના સમ્યકત્વ (ઉપલક્ષણથી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કરાવનાર ગુરૂ તે ધર્માચાર્ય. જો કે સામાન્યથી સર્વે ગુરૂઓ [આચાર્યો] ધર્માચાર્યું છે, પરંતુ વિશેષ લક્ષણથી તે જેને જે ગુરૂથી ધર્મ પ્રાપ્ત થયો હોય તે તેના ધર્માચાર્ય કહેવાય. તેવા ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળ અશકય છે તે સંબંધિ ભાવના ચિન્તવવી તે ધર્માચાર્ય ભાવના. પ્રશ્નઃ –ધર્મ પમાડનાર કેઈ શ્રાવક વા શ્રાવિકા હોય તો તે ધર્મગુરૂ વા ધર્માચાર્ય ગણાય કે? કારણ કે જેમ કુમારપાળને પૂર્વ ભવનો જીવ પોતાના શેઠના ધર્માનુષ્ઠાનથી ધર્મ પામ્યો, એમ અનેક ધમ ગૃહસ્થોના ઉપદેશથી વા કરણીથી પણ જીવો ધર્મ પામી શકે છે. વાની ઈચ્છા થાય તેનાથી તે તેવા ધનની ઈચ્છા ન કરવી એ જ શ્રેષ્ટ છે. જેમ પગે કાદવ લગાડીને પગ દેવા તેથી તે કાદવને સ્પર્શ ન કર (કાદવથી દૂર રહેવી એજ ઉત્તમ છે. ૧૫ કારણ કે પરિગ્રહ અને આરંભને જેમ બને તેમ વર્જવા રૂપ જે પરિગ્રહ આરંભનો અવ્યાપાર તેજ ધર્મ છે. પરંતુ ધર્માર્થે પણ પરિગ્રહ આરંભને વ્યાપાર તે ધર્મ નથી. આરંભ પરિગ્રહની ઉપાજના સંકલેશ પરિણામ વિના થતી નથી. વળી એ રીતે જે આરંભ પરિગ્રહ વધારવો એ ધર્મ હોય તો હિંસા મૃષાવાદ ચોરી ને મૈથુન ઈત્યાદિ પાપારંભ પણ ધર્મના બહાને વિધેય થાય, વળી એવા આરંભ પરિગ્રહ વધારવામાં જે ધર્મ બુદ્ધિ માનવામાં આવે છે તે યૂલદષ્ટિ જીવોની માનેલી છે, સુક્ષ્મદશી છો એ બુદ્ધિને તાત્વિક બુદ્ધિ વા ધર્મબુદ્ધિ માનતા નથી.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy