SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪. શ્રાવકધર્મવિધામાં ૩ ચોગ-પૂર્વોકત રીતે ચાર પ્રકારનું સ્મરણ કરીને ત્યાર બાદ લઘુનીતિની બાધા હોય તે લઘુનીતિ જઈ આવે અથવા વડીનીતિની બાધા ઉપજે તે વડીનીતિ જઈ આવે. એ લઘુનીતિ આદિ વ્યાપાર તે પેગ જાણ. ૪ ચૈત્યવંદન-દેહની બાધા દૂર કરી આવીને ત્યાર બાદ કાયાની ને મનની સમાધિ (સ્વસ્થતા) થવાથી ચૈત્યવંદન નાદિ કિયા ભાવ પૂર્વક થતાં ભાવાનુષ્ઠાન રૂપ થાય છે, માટે દેહ બાધા દૂર કરીને ચિત્યવંદન કરે એટલે પૂજા પૂર્વક 8 જિનેશ્વરની પ્રતિમાનાં વંદન કરે, ને તે પણ વિધિપૂર્વક વંદન પૂજન કરે. ૫ પ્રત્યાખ્યાન-આગમવિધિ પૂર્વક ચૈત્યવંદન કરીને ત્યાર બાદ વિધિ પૂર્વક નમુકકાર સહિય આદિ પ્રત્યાખ્યાન કરે. ગાથામાં કહેલ વિહિપુરવં એ પદ ચૈત્યવંદન અને પ્રત્યાખ્યાન એ બેમાં જોડવું. અહિં ચૈત્યવંદનને વિધિ તે ચૈત્યવંદન સંબંધિ ગ્રંથથી જાણુ, ને પ્રત્યાખ્યાનને વિધિ પ્રત્યાખ્યાન ભાષ્ય આદિક ગ્રંથેથી જાણ. . ૪૨ છે तह 'चेईहरगमणं, सकारो वंदणं गुरुसगासे । पच्चक्खाणं सवणं, जइपुच्छा "उचियकरणिजं ॥४३॥ ૧ આ ત્યવંદન ઘરમાં કરવાનું છે, તે તે જગ્યાનું ચિત્યવંદન છે કે જે પ્રભાતના પ્રતિક્રમણ સાથે જોડેલું છે. ૨ આ પ્રત્યાખ્યાન આત્મસાક્ષીએ ઘરમાં કરવાનું છે. ઉત્સર્ગ માગે શ્રાવકને ભજન સંબંધિ એકશન પ્રત્યાખ્યાન હોય, પરંતુ પાણીને માટે નમુક્કાર સહિયે આદિ પણ હેય. तथा चैत्यगृहगमनं सत्कारो वन्दनं गुरुसकाशे। प्रत्याख्यानं श्रवणं यतिपृच्छा उचितकरणीयम् ॥४३॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy