SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રાવકધર્મવિધાન બિભત્સ કુચેષ્ટાઓ કરી બીજા લેકની કામવાસનાઓ ઉત્તેજીત કરવી તે અતિચાર છે. કારણ કે શ્રાવકે અંગના એવા ચાળા ન કરવા અને એવાં વચનો ન બોલવાં કે જેથી બીજાઓને હસવું આવે, તેમજ કામવાસના ઉત્તેજીત થાય. માટે આ ચાળા અતિચાર છે. આ અતિચાર પણ પ્રમાદાચરણ વિરતિને છે. ૩ મખર્ચ અતિચાર–મુખરને ભાવ તે મુખરતા અર્થાત્ ધીઠાઈનાં વચને (આગ્રહ દર્શક વચને) બોલવા તથા જેમ તેમ અસંબંધ બેલ્યા કરવું, એમ બહુ બેલવાની ટેવથી લેકમાં લબાડી ગણાય છે, એના બોલવાની કિંમત લવારે કરવા જેટલી છે. એ સર્વ પ્રકારની વાચા ળતા બકવાદ તે પાપપદેશ વિરતિનો અતિચાર છે. ૪ સંયુક્તાધિકરણ અતિચાર–ઘંટી, ગાડું. ઉખલ, મુશલ ઈત્યાદિ હિંસાના અધિકરણોના-ઉપકરણોના અવયવે જોડાયેલા તૈયાર રાખે, એથી બીજાઓને માગી લઈ જવાની સુગમતા રહે છે, અને માંગવા આવે ત્યારે તૈયાર ઉપકરણે હેવાથી ન આપવા જેવું બહાનું ઉપજાવવું અશકય થાય છે, અથવા કેટલાક તે વિના માગે જ સૂચના માત્ર આપી તરત ઉઠાવી જાય છે, અને શરમમાં ના કહેવાય નહિ, માટે હિંસાનાં ઉપકરણે કામમાં આવે એવા તૈયાર જોડાયેલાં રાખી મૂકવાં તે હિસપ્રદાન અનર્થદંડ વિરમણવ્રતને અતિચાર છે. અહિં શ્રાવકે હિંસાનાં ઉપકરણોના અવયવો છૂટે છૂટા કરી નાખી જુદે જુદે ઠેકાણે મૂકી દેવા, જેથી માગવા આવનારને “આનું અમુક અમુક
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy