SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગપભોગવિ. ૨૧૧ ૧૧ બ્રહ્મચર્ય—અહીં બ્રહ્મચર્યને મુખ્ય અર્થ મૈથુન ત્યાગ તથા કૃત્રિમ રીતે થતા શુકના ક્ષયને નિરોધ પણ સમજ. સ્વદારા સંતોષવાળાએ પણ પ્રમાણ કરી લેવું કાયાથી પાળવું, મન અને વચનની જયણા. પરસ્ત્રીને ત્યાગ. ૧૨ દિશા–૪ દિશા, ૪ વિદિશા, ઉંચે અને નીચે એમ ૧૦ દિશામાં જવાનો નિયમ કરે છે. ધર્મને માટે જયણા. ૧૩ સ્નાન–સર્વોગે ન્હાવાની સંખ્યા નિયત કરવી, ધર્માર્થે જયણા. ૧૪ ભકત પાન-આમાં ખોરાક અને પાણીના વજનને સમાવેશ થાય છે. દિવસમાં વપરાતા ખેરાક પાણીનું વજન નક્કી કરવું. ચૌદ નિયમ ઉપરાંત નીચેની “છકાય વિગેરે બાબતેના પણ નિયમ ધારવામાં આવે છે. | છ કાય. એ ૧ પૃથ્વીકાય–સચિત્ત પૃથ્વી રૂપ શરીરવાલા છે તથા તેનાં નિજીવ શરીરે પણ સમજવાં. માટી, મીઠું, ચુને, ક્ષાર આદિ વાપરવાને વજનથી નિયમ ધાર. અડકવા વિગેરેની છુટ. ૨ અપકાય--પાણી, બરફ, કરા, ઝાકળ વિગેરે પીવા તથા વાપરવાને નિયમ ધાર. (એક મણ, બે મણ આદિ) નિયમવાળાએ પાણીની ચકલી નીચે તથા બહેળા પાણીમાં(તળાવ, નદી વિગેરેમાં), ન્હાવું નહિ પરંતુ વાસણમાં પાણી રાખી સ્નાન કરવું. વરસાદમાં જવા આવવાની છુટ.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy