SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રાવકધર્મવિધાન ૧૪ રાંધેલું ધાન્ય–સ્વવારની રસઈ ભાત દાળ શાક મોટા દિવસમાં સ્વાદ લાગવાથી ચલિત રસ થયેલી જાણવી, ને તે અભક્ષ્ય થાય છે. રોટલી સાંજરે ભક્ષ્ય છે. ૧૫ ભાત–સાંજે રાંધેલા ભાત વચ્ચે હોય તે છાશમાં સૂબાડૂબ રાખવાથી બીજે દિવસે ભક્ષ્ય છે, સવારને રાંધેલે ભાત છાસમાં રાખવાથી પણ બીજે દિવસે અભક્ષ્ય છે. વળી જે છાશમાં ભાત ડૂબાવવાને છે તે છાશ પણ અલ્પ જળ વાળી ને ઘણી જાડી જોઈએ. તેવી છાસ પણ ભાત ઉપર ૪ આંગળ તરતી રાખવી, ને બીજે દિવસે હવારમાં એ ભાતના દાણા છૂટા પાડી દેવા જોઈએ. વળી છાસમાં ડૂબાવેલા ભાતને ૮ પ્રહરને કાળ છે તે ભાત રંધાયો હેય ત્યારથી ગણવે, પરતુ છાશમાં ડૂબા હેય ત્યારથી ન ગણ, વળી તે પણ ચોમાસાના વર્ષાદના દિવસમાં એ કાળ પણ પ્રાયઃ ઉચિત નથી, ઉન્ડાળા શિયાળાના સૂકા દિવસોમાં એ કાળ ઉચિત છે. ૧૬ દહિન્દુધમાં દિવસના કેઈ પણ ટાઈમે ખટાશ નાખીએ તે પણ બે રાત્રી વીત્યા બાદ તે દહિં અભક્ષ્ય છે, જેથી હવારે ખટાશ નાખી હોય તે ૧૬ પ્રહર કાળ ને સંધ્યા સમયે ખટાશ નાખી હેય તે ૧૨ પ્રહરને કાળ ગણવે, મુખ્ય વાત એ કે બીજી રાત્રી વીત્યા બાદ હવારમાં જ તે દહિં અભક્ષ્ય ગણવું. ૧૭ દૂધ હવારે દોહ્યા બાદ ચાર પ્રહરને કાળ છે, તે પણ ગરમ કર્યું હોય તે એ કાળ છે, કાચું દૂધ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy