SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રાવકધમ વિધાન દયાને સમાવેશ થાય છે, ને તેવી સંપૂર્ણ ૧ વસાની દયા અથવા ર૦ વિશ્વાની દયા મુનિ મહારાજને જ હોય છે. શ્રાવકને કેવળ ત્રસની દયા હોય છે, જેથી સ્થાવરની દયાના ૧૦ વિશ્વા જતાં ૧૦ વિશ્વા રહ્યા. પુનઃ સની હિંસા પણ સંકલ્પથી (ઈરાદા પૂર્વક વિના અપરાધે હણ) અને આરંભથી. (ઘર બાંધવું વિગેરે ગૃહસ્થ સંબંધિ આરંભમાં ઈરાદાપૂર્વક નહિ પણ પ્રસંગથી ત્રસની હિંસા થાય.) તેમાં આરંભજનિત ત્રસહિંસાને બચાવ શ્રાવકથી બને નહિ, માટે ૧૦ વિશ્વામાંથી પણ અર્ધ જતાં ૫ વિશ્વા દયા રહી. પુનઃ સંકલ્પ હિંસામાં પણ નિરપરાધીને સાપરાધી. [ગુન્હા રહિત ને ગુન્હેગાર] ત્રસ જીવેમાં નિરપરાધીની હિંસાને ત્યાગ હોય છે. પરંતુ અપરાધીની હિંસાને બચાવ ન હોવાથી ૫ વિસ્થામાંથી રાા વિશ્વા રહ્યા.વળી નિરપરાધી ત્રસમાં પણ સાપેક્ષ (જે ત્રસ પિતાના ઉપયોગમાં આવે તે નિરપરાધી હોવા છતાં પિતાને તાબે રાખવે, જેમકે–હસ્તિ ઉંટ આદિ વનપશુઓ નિરપરાધી છે, તે પણ તેને જરૂરી ઉપયોગ માટે ઘેર લાવી બાંધવા વિગેરે) અને નિરપેક્ષ. એિટલે પિતાના ઉપયોગ વિના કેવળ મજશેખને માટે નિરપરાધી ત્રસની હિંસા કરવી, જેમ કે શિકાર આદિ]. તેમાં નિરપેક્ષ હિંસાને બચાવ થઈ શકે, પરંતુ સાપેક્ષ ત્રસહિંસાને બચાવ ન થાય તેથી ર વિશ્વામાંથી અર્ધ ૧ વિશ્વ દયા શ્રાવકને શેષ રહી. એ પ્રમાણે મુનિ મહારાજને સંપૂર્ણ ૨૦ વિશ્વાની દયા અને શ્રાવકને ૧ વિશ્વાની દયા જાણવી, તેને સંક્ષેપ આ પ્રમાણે
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy