SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રાવકધર્મવિધાન છે. શેષ કયામેના ઉદયે તે સર્વવિતિમાં વ્રતને મૂળથીજ છેદ થાય છે.) એ પ્રમાણે વિચારતાં દેશવિરતિમાં અતિચારને અભાવ નથી. વળી એજ ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા બીજી રીતે કરીએ તે ત્રીજા કષાયના ઉદયે (પ્રત્યાખ્યાનીના ઉદયે) સર્વવિરતિને મૂળ છે, બીજા કષાયના ઉદયે (અપ્રત્યાખ્યાનીના) ઉદયે દેશવિરતિને મૂળ છે, અને પહેલા કષાય. (અનન્તાનુબી ) ના ઉદયે સમ્યકત્વને મૂળ છેદ થાય છે. એ પ્રમાણે બીજી રીતે કરેલી વ્યાખ્યા પ્રમાણે પણ દેશવિરતિમાં અતિચારને અભાવ નથી. તે આ પ્રમાણે-જેમ સંજવલન કવાયના ઉદયે સર્વવિરતિ પ્રગટ થાય છે, અને તેમાં અતિચાર પણ લાગે છે, તે પ્રમાણે પ્રત્યાખ્યાન કષાયના ઉદયે દેશવિરતિ પ્રગટ થાય છે ને તેમાં અતિચાર પણ લાગે છે. તેમજ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને તેમાં અતિચાર પણ લાગે છે. એ રીતે ન્યાય સર્વત્ર સરખે છે. પ્રશ્ન –જે કષાયેાદયથી ગુણપ્રાપ્તિ તે જ કષાયદયથી અતિચાર રૂપ દેષની પ્રાપ્તિ પણ કેવી રીતે ઘટે? જે વસ્તુ જે ગુણ ઉત્પન્ન કરનારી તે જ વસ્તુ તેમાં દેવ ઉત્પન્ન કરનારી કેમ હોય? ઉત્તર—કાના ઉદય વિલક્ષણ છે. વિચિત્ર છે, તેથી જે કષાય જે ગુણને અવિરેાધી છે, તે જ કષાય તે ગુણમાં દેષ ઉત્પન્ન કરવામાં નિમિત્તિભૂત બને છે. જેમ સંજવલનને ઉદય સર્વવિરતિ ગુણને અવિરોધી હોવા છતાં તેમાં દોષ ઉત્પન્ન કરનારે છે એમ તે તમે એ પણ સ્વીકાર્યું છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy