SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા અર્થ:—ગૌતમ ગણી એટલે શ્રી ગૌતમ ગણધર અજલિ કરોને એટલે એ હાથ જોડીને શ્રી મહાવીર સ્વામીને પૂછે કે મારા માતપિતાને ખબર પડશે તે ઉપદ્રવ કરશે. ગુરૂએ કહ્યું કે મારાથી ચાલી શકાય તેમ નથી. ત્યારે શિષ્યે તેમને ઉચકી લીધા. એ પ્રમાણે તે બંને જણા ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં રાત્રી હાવાથી અને ખાડા ટેકરાવાળા રસ્તા હેાવાથી ગુરૂ શિષ્યની ઉપર ગુસ્સે થઇને કહેવા લાગ્યા કે તું બરાબર ચાલતા નથી. મને હેરાન કરે છે, એ પ્રમાણે કહી ગુરૂ શિષ્યને તાડના કરે છે. પર ંતુ શિષ્ય તા તે સહન કરે છે અને મનમાં પશ્ચાતાપ કરે છે કે મારે લીધે ગુરૂને હેરાન થવું પડે છે. મારેાજ વાંક છે. એ પ્રમાણે પશ્ચાતાપ કરે છે, પણ ગુરૂને સામેા જવાબ આપતા નથી. આ પ્રમાણે ભાવનારૂઢ થયેલ તે શિષ્યને રસ્તામાંજ કેવલજ્ઞાન થયું, તેથી મા જાણવાથી હવે બરાબર ચાલે છે, એટલે ગુરૂ કહે છે કે માર પડયેા એટલે કેવું સીધું ચન્નાય છે. માર આગળ સર્વાં સીધા ચાલે છે. શિષ્ય કહે છે કે જ્ઞાનથી હું સીધેા ચાલું છું. ગુરૂ કહે છે કે કયા જ્ઞાનથી ? શિષ્ય જવાબ આપે છે કે કૈવલજ્ઞાનથી. એ પ્રમાણે સાંભળી ગુરૂ તરત નીચે ઉતરી ગયા અને પશ્ચાતાપ પૂર્વક શિષ્યને ખમાવે છે, અને પાતે કેવલીની આશાતના કરી મેાટું પાપ બાંધ્યું. એ પ્રમાણે પશ્ચાતાપ કરતાં તેમને પણ ધ્રુવલજ્ઞાન થયું. ૪૭ ૮ કુર્માપુત્ર--કુર્માપુત્ર પૂર્વ ભવમાં દુર્ગામપુર નગરમાં દ્રોણ રાજાની ધ્રુમાદેવી રાણીના દુર્લભકુમાર નામે પુત્ર હતા. રાજ્યમદ અને યૌવન મથી ઉન્મત્ત બનેલે એ રાજપુત્ર નગરનાં બાળકાને ક્રીડા તરીકે પેટલું બાંધીને આકાશમાં ઉછાળે છે, પ`ન્ત અવસ્થામાં ચારિત્ર લઈ સાતમા દેવલાકમાં ઉત્પન્ન થઈ ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં મહેન્દ્ર રાજાની કૂર્માંદેવી રાણીના પુત્ર થયા. પિતાએ ધર્મદેવ નામ પાડયું, પરન્તુ પૂર્વભવમાં ધણા બાળકાને પોટલાં બાંધી આકાશમાં ઉછાળેલા હાવાથી તે દુષ્કર્મના ઉદયથી બે હાથ પ્રમાણુના વામન શરીરવાળા
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy