SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ક૯પલતા કયા જીવે શેક કરવા યોગ્ય નથી તે જણાવે છે – પ્રભુવીરને ગોતમ ગણી પૂછે કરીને અંજલી, જે શેક કરવા યોગ્ય ન હુવે તેહ જી કુણુ વલી; છે, કે આ વેશ મેં જોએલે છે. એકાગ્રતા થતાં તરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ વખતે કોઈકે આવીને શ્રેયાંસકુમારની આગળ શેરડીના રસના ૧૦૮ ઘડા ભેટ તરીકે મૂક્યા. શ્રેયાંસકુમારે તે શેરડીના રસના ઘડા પ્રભુને હરાવ્યા. પ્રભુના બે હાથના ખોબામાં રસ હરાવ્યું, પણ તેમાંથી પ્રભુના અતિશયથી એક પણ ટીંપુ જમીન ઉપર પડયું નહિ. વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયાંસકુમારે પારણું કરાવ્યું ત્યારથી વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયા કહેવાઈ, અને ત્યારથી વરસી તપનું પારણું તે દિવસે થાય છે. જાતિસ્મરણ જ્ઞાનથી પ્રભુને ઓળખીને શ્રેયાંસકુમારે પોતાના પૂર્વ ભવ તથા પ્રભુની સાથે સંબંધ જ, અને ભાવપૂર્વક રસ બહેરાવી આત્મકલ્યાણ કર્યું. ૬ અણુ શેઠ:--જિનદત્ત નામે પરમ શ્રાવક હતો, પણ તેને વૈભવ હીન થયો હોવાથી લેક એને “ર્ણ શેઠ” એવા નામથી બેલાવતા. એક વખત તે શેઠ પિતાની વિશાલા નગરીના બહાર ઉદાનમાં ગયા હતા, ત્યારે તેણે ત્યાં શ્રી વીરપ્રભુને કાર્યોત્સર્ગમાં રહેલા જોયા. પ્રભુના દર્શન થવાથી ઘણે હર્ષ પામીને વાંદ્યા, અને પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે પ્રભુ આજે ઉપવાસ કરી ધ્યાનમાં રહ્યા છે તે આવતી કાલે મારે ઘેર પારણું કરે તો સારું. એવી ઈચ્છા પૂર્વક રોજ વીર પ્રભુ પાસે આવીને વાંદીને હે પ્રભુ મારે ત્યાં વહોરવા પધારજો એમ કહીને જાય છે. એ પ્રમાણે કરતાં ચોમાસુ પૂર્ણ થયું ત્યારે છેલ્લે દિવસે પણ પિતાને ઘેર પારણુ કરવા વિનતિ કરીને ગયો. પારણાના દિવસે શેઠ “આજે પ્રભુ મારે ઘેર પારણા માટે આવશે એવી ભાવનાથી પ્રભુના આગમનની રાહ જોઈ રહ્યા છે, અને વિચારે છે કે પ્રભુને હું આજે મારી જાતે વહેરાવીશ. હું ધન્ય છું કે આજે પ્રભુ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy