SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ભાવના કલ્પલતા શ્રેયાંસ કુમાર. ૬ જીરણુ શેઠ. ૭ શ્રીચ ડરૂદ્રાચાર્યના મહા જેવું છે, તે કાઇનું થયું નથી અને થશે નહિ, કારણ કે પરભવ જતાં તે સાથે આવતું નથી. વસ્તુસ્થિતિ આમ છતાં મારે ક્ષણિક પદાર્થોમાં મેહ રાખવા, એના કરતાં મેાક્ષમાર્ગની સાધનામાં મેહ રાખવા એ વ્યાજખી છે. અત્યાર સુધી મેં ખાટી વસ્તુના મેાહે કરીને ધણું ગુમાવ્યું. હવે મારે જરૂર ચેતવાની જરૂર છે. ધન્ય છે મારા પિતાજીને અને નાના બંધુઓને કે જેએા વ્હેલાસર ચેતી ગયા, અને સંસારને તજીને નિ`લ સયમની આરાધના કરવામાં તત્પર થયા. હું કાઇને નથી અને મારૂં કાઇ નથી. સગાંને સમાગમ એ તે પ`ખીના મેળા જેવા છે. ખાદ્ય વસ્તુ એ વિભાવ છે, તેના સ્નેહને લઇને મારા જીવે ઘણાં દુ:ખ ભોગવ્યા. આ પ્રમાણે ભાવના ભાવતાં ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઇને ભરત મહારાજા કૈવલી થયા. દેવાએ આપેલા મુનિવેષને ધારણ કર્યો. એક લાખ પૂર્વ સુધી નિર્મૂલ દીક્ષા પર્યાય પાળીને છેવટે પરમાનન્દમય મુક્તિપદને પામ્યા. ૨ એલાચી કુમાર——ભ્યિ નામના શેઠના પુત્ર હતા. એક વખત નટ લા નૃત્ય કરવાને આવેલા છે, તે વખતે નટની પુત્રીને જોઇને તેના ઉપર માહિત થયા. શેઠ વગેરેએ વાર્યા છતાં નટ પાસે ધન દઇને તેની પુત્રોની માગણી કરી. તે વખતે નટ લેાકેા કહે છે કે આ કન્યા અમારા અક્ષયભંડાર છે. તે કેમ અપાય ? છતાં તેની ઈચ્છા હોય તે। અમારી સાથે ચાલે. આ સાંભળીને તે નટડી ઉપરના મેહને લીધે આબરૂની પણ દરકાર કર્યા સિવાય નટ લેાકેાની સાથે ગામે ગામ ફરે છે અને નૃત્યકળા શીખે છે, એવી રીતે શીખતાં શીખતાં તે નૃત્યકળામાં બહુ પ્રવીણ થયા. ફરતા ફરતા નટ લેાકા એક મેટા નગરમાં આવી ચઢયા. ત્યાં નટડી માટે એલાચીકુમાર માગણી કરે છે. નટ લેાકેા કહે છે કે અહીંના રાજા આગળ નાચ કરી તેને રીઝવીને દાન મેળવા તે અમે તેને તમારી સાથે પરણાવીશું. હવે રાજા તથા
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy