SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી વિજ્યપદ્રસૂરિત, સર્વથા કર્મ ક્ષયને પ્રસંગ આવે છે (પ્રાચીન કર્મોનો ક્ષય સાથે નવીન કર્મબંધ ન અટકે તે મેક્ષને જ અભાવ થાય.) માટે એવી તે ભાવના સંવર અને નિર્જરા સમકાળે પ્રવર્તાવીને નિર્જરા રૂપ રંગ મંડપમાં રમાડનારી છે એટલે અત્યંત નિર્જરા કરાવનારી છે. એ ૭ ૫ સહુ વિશ્વ કેરી સકલ રચના દીલ ઠસાવે ભાવના, અત્યંત દુર્લભ કોણ? એ દેખાડનારી ભાવના; સદ્ધર્મના ઉપદેશકોને એલખાવે ભાવના, તિમ યોગ્ય ધર્મ સ્વરૂપને બતલાવનારી ભાવના. ૮ અર્થ:–ભાવના વિશ્વ એટલે ચૌદ રાજ લેક તેની સઘળા પ્રકારની રચના-સ્વરૂપને દીલમાં ઠસાવે છે એટલે નિશ્ચિત સ્વરૂપે સમજાવે છે. વળી આ દુનીયામાં દુર્લભ-દુખે પ્રાપ્ત કરાય તેવું કેણ છે? તે પણ ભાવના સમજાવે છે. તથા સદ્ધર્મ એટલે આત્માને હિતકારી છે જેન ધર્મ તેના ઉપદેશ કરનાર જે અરિહંતાદિક તેમને પણ ભાવના સમજાવે છે. (ઓળખાવે છે) તેમજ ધર્મના ગ્ય–સાચા સ્વરૂપને પણ ભાવના બતાવનારી છે. ૮ ત્રણ યોગને નિર્મલ બનાવે કતક જેવી ભાવના, વળી મેહનાં તોફાન ટાળે શાંતિ આપે ભાવના; સવિ ભૂલ ડાઘ ભુસાવવા આદર્શ જેવી ભાવના, નિજ આત્મગૌરવને વધારે જરૂર આવી ભાવના. ૯ અર્થ–મન વચન કાયાના ગરૂપી જળને શુદ્ધ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy