SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી વિજયપધસૂરિકૃત અર્થ:–ઉપર પ્રમાણે ઉપદેશ વિશેઠે વિજય શેઠાણને આપીને કહ્યું કે હે સ્ત્રી ! દેહના વિરહમાં એટલે જ્યારે આ જીવ દેહથી સર્વથા મુક્ત થાય ત્યારે જ ખરું સુખ પામે છે. માટે અને વિષયે જરા પણ ગમતા નથી, તેથી હું હવે સંપૂર્ણ શીલને પાળીશ. આ વાત આપણા માતા પિતાને આપણે બીલકુલ જણાવવી નહિ, અને જાણશે તે આપણે શુદ્ધ સંયમ માર્ગને સાધીશું. ૨૬૨ બે લેકમાં વિજ્યાદિની પવિત્ર શીલ ભાવના જણાવે છે – નિજ પ્રાણથી પણ અધિક વહાલું શીલ બંને પાલતા, એક શમ્યાશયન તે પણ ભાવ ચોખા રાખતા; એકાંતમાં પણ શીલપર ગુણ ફરી ફરી સંભારતા, ભાવ સંયમ ચંગ રંગ તરંગ સરિતા મહાલતા.૨૬૩ અર્થ:–એ પ્રમાણે બંને જણા પિતાના પ્રાણથી પણ વધારે વહાલા શીયળને પાળે છે, અને જે કે એકજ પથારીમાં સૂઈ રહે છે તો પણ ભાવ નિર્મલ રાખે છે. એકાંતમાં પણ શીલધર એટલે શીયળ પાળનાર ભવ્ય જીના ગુણોને વારંવાર સંભારે છે. તથા ગૃહસ્થપણામાં રહ્યા છે તે પણ ભાવ સંયમ એટલે ચારિત્ર લેવાના પરિણામ રૂપ સુંદર આનંદના મેજાએવાળી નદીમાં મહાલે છે. ર૬૩ આ દંપતિને કેવલિશ્રી વિમલશ્રમણ વખાણતા, ઈમસુણી જિનદાસ કરતાં ભક્તિ અભિગ્રહ પૂરતા
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy