SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી વિજયપધસૂરિકૃત - = ગુલામ જે બન્યું. પરંતુ યોગીએ જે સાચી બીના જણાવી, તે સાંભળીને રાજા વૈરાગ્યને પામે. અને મેગીના ચરણમાં વારંવાર વંદન કરવા લાગ્યું. ૧૯૩ સાચું જ્ઞાન કયું? વિગેરે જણાવે છે-- તે જ્ઞાન કિમ કહેવાય જેમાં રાગ મસ્તી આદરે, ત્યાં તિમિરની શક્તિ કિહાં જ્યાં સૂર્ય કિરણો વિસ્તરે જ્ઞાનનું ફલ વિરતિ ઈડ હેય વિષયાદિક રતિ, મોહે નહિ લેપાય જે જન તેહ નાણી શુભ મતિ.૧૯૪ અર્થ –જે જ્ઞાનની હયાતીમાં રાગ મસ્તી આદરે એટલે પૌગલિક ભાવોમાં આસક્તિ વધે, તેને જ્ઞાન કેવી રીતે કહી શકાય? અથવા સાચું જ્ઞાન હોય ત્યાં રાગની ઓછાશ થવી જોઈએ. કારણ કે જ્યાં સૂર્યનાં કિરણોની જ્યોત ફેલાય, ત્યાં અંધકાર રહેજ નહિ. અથવા અંધકાર દૂર થાય જ. માટે જ “જ્ઞાન પાર્ટ વિલે” એમ કહ્યું છે તેથી હેય એટલે ત્યાગ કરવા યોગ્ય જે વિષયાદિક તેની પ્રીતિને ત્યાગ કરે. અને જે માણસ મેહમાં આસક્ત થાય નહિ તે શુભમતિ એટલે સારી બુદ્ધિવાળો જ્ઞાની જાણ. ૧૯૪ વિષયે ચેરના જેવા છે, એમ દષ્ટાંત દઈને સમજાવે છે:-- જ્ઞાનાદિ ધનને ચોરનારા વિષય સઘલા જાણિએ, શેઠ શેઠાણ તણાં દૃષ્ટાંતને સંભારીએ, - ૧ રાજા અને યોગીનું દષ્ટાન્ત મેં શ્રી સિદ્ધચક્રપૂજામાં જણાવ્યું છે તે ત્યાંથી જોઈ લેવું.
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy