SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦. શ્રી વિજ્યપદ્વરિત તેમ ન કરે તે ઠરે શ્રત અપ્રમાણ વળી હવે, ભવનાશકારક એક પણ આગમવચન પરિણમે.૧૩૦ અર્થ સર્વ જ્ઞાનમાં કેવલજ્ઞાન શ્રેષ્ઠ કહ્યું છે. તેથી પણ અપેક્ષાએ અતજ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે કેવલી ભગવંતો પણ શ્રુતજ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે, તે આ પ્રમાણે-તોપગી એટલે શ્રતજ્ઞાનના ઉપગવંત મુનિ કદાચ પિતાને શુદ્ધ જણાય તે છતાં કેવલીની દષ્ટિએ અશુદ્ધ હોય તે આહાર ગ્રહણ કરે તે પણ તે કેવલજ્ઞાની વાપરે (ખાય) છે. કારણ કે જે તે પ્રમાણે કરવામાં ન આવે તો કૃતજ્ઞાન અપ્રમાણ છે એમ સાબીત થાય. વળી આગમનું એક પણ વચન જે યથાર્થ પણે પરિણમે એટલે સમજીને તે પ્રમાણે વર્તન કરવામાં આવે તો તે ભવનાશકારક એટલે સંસારનો નાશ કરનારું થાય છે. ૧૩૦ સિદ્ધિ લહ્યા છે અનતા એક સામાયિક પદે, આગમ તણી શ્રદ્ધાબલે કલ્યાણ હોય પદે પદે; પ્રવચન તણા અભ્યાસથી અદષ્ટ અર્થ પ્રમાણિએ, વિછિન્ન હાલ જણાય તેમાં કાલ દોષ વિચારિ.૧૩૧ અર્થ –સિદ્ધાન્તની અંદર આવેલા એક સામાયિક (કરેમિમત વગેરે) પદ વડે પણ અનન્તા છ સિદ્ધિ પદને પામ્યા છે. કારણ કે આગમ એટલે સિદ્ધાન્તની ઉપર શ્રદ્ધા રાખીએ તો તેના દરેક પદ વડે કલ્યાણ (આત્મહિત) થાય છે. આ આગમને અભ્યાસ કરવાથી અદષ્ટ અર્થ એટલે
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy