SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ પ્રતિષ્ઠા પૂજનાદિમાં દ્રવ્ય વપરાય એ ઉત્તમ લાભ છે, એમ જણાવે છે:— ભાવના કલ્પલતા વસ્તુપાલે તેજપાલે બિંબ લાખ સવા ભલા, હેશે ભરાવ્યા જાણ જીવતુ ધનિક સાચા એ ખરા; તક ભલી વિલ સાચવે બિંબ પ્રતિષ્ઠામાં અને, આંગી સમન પ્રમુખ માંહે વાપરે ઈમ દ્રવ્યને. ૮૩ અર્થ: :—ગુજરાતના રાજા વીરધવલના મંત્રીશ્વરે શ્રી વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઇઓએ શેાભિત સવા લાખ જિન પ્રતિમાઓ! ઘણા ઉમગ પૂર્વક ભરાવી હતી. માટે હે જીવ! તેજ ખરેખર સાચા ધનવાન કહેવાય, એમ તું જાણજે. વળી તેમણે તે પ્રતિમાએની પ્રતિષ્ઠાના પ્રસંગ પણ સારી રીતે સાચવ્યા હતા. એટલે પ્રતિષ્ઠા મહેાત્સવ પણ ઘણી સારી ધામધુમપૂર્વક ઉજન્મ્યા હતા. તથા તે પ્રભુની આંગી તથા સમન એટલે પૂજા વગેરેમાં પણ પેાતાના દ્રવ્યને ઉલ્લાસથી વાપરતા હતા. ૮૩ આંગી રચવાના મુદ્દો જણાવે છે:— ત્રણ અવસ્થાના ક્રમે આંગી જરૂરી જાણજે, આંગી તણી શી જરૂર એવા વેણ ફાગઢ માનજે; ભવ્ય આંગી જોઇને પ્રભુ રાજવૈભવ ભાવતા, એહ છડી ચરણ ધરતા શ્રાદ્ધ એમ વિચારતા, ૮૪ અ:—પ્રભુની ત્રણ અવસ્થા કહેલી છે—૧ જન્માવસ્થા, ૨ રાજ્યાવસ્થા, ૩ શ્રમણાવસ્થા. તેમાં પ્રભુને ન્હવણુ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy