SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત સુકેાશલ મુનિની કથા નીચે પ્રમાણે:— અયેાધ્યા નગરીમાં કીર્તિધર રાજા હતા, તેને સહદેવી નામે પટરાણી અને સુકેાશલ નામના રાજપુત્ર હતા. સુકેાશલ ખળક હતા, ત્યારે જ કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. સુકેાશલ મેાટા થયા ત્યારે રાજા થયા. તે રાજા થયા પછી એક વખત તેમના દીક્ષિત પિતા મુનિશ્રી કીર્તિ ધર મહારાજ વિહાર કરતાં અયેાધ્યામાં આવ્યા. ગેાચરી માટે અયેાધ્યા નગરીમાં ફરતા તે મુનિને જોઇને સહદેવી રાણીએ વિચાર્યું કે સુકેાશલ પેાતાના પિતાને જોશે તે તે જરૂર તેમની પાસે દીક્ષા લઇ લેશે. આવા વિચારથી સુકેાશલ તેમને ન જીવે માટે મુનિને નોકર પાસે નગર બહાર કઢાવી મૂકયા. આ વાત જાણીને સુકેાશલની ધાવમાતા રૂદન કરવા લાગી. તે જોઇને સુકેશલે રૂદન કરવાનું કારણ પૂછ્યું, ત્યારે ધાવમાતાએ કીર્તિ ધર મુનિની હકીકત કહી. તે સાંભળીને સુકેાશલ મુનિને વાંઢવા મેટા આડંબરપૂર્વક ગયા. મુનિને ધર્મ દેશના આપી. જે સાંભળીને વૈરાગ્ય આવવાથી સુકેાશલે તેમની પાસે દીક્ષા લીધી. આથી સહદેવી રાણીને પુત્રને વિયોગ થવાથી અને પતિ ઉપર દ્વેષભાવ થવાથી તે મરણ પામીને કેાઇ વનમાં વાઘણુ થઈ. એક વખતે મનવા ચેાગે તે મુનિ થએલા પિતા પુત્ર તેજ વનમાં આવીને ચઉમાસી તપ કરીને રહ્યા. તપ પૂર્ણ કરી પારણાને દિવસે ગેાચરી માટે જતાં તે એને વાઘળું જોયા. એટલે પૂર્વભવના વૈરના સંસ્કારથી તથા જાતિ સ્વભાવથી તે તેને મારવા દોડી. અને મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે વખતે વાઘણે પ્રથમ સુકેાશલ મુનિને પાડી નાંખી તેમનું ભક્ષણ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy