SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ ભાવના કલ્પલતા મુજ બાલિકા મૂકી રખડતી જેહ સંયમ આદરે, લજ્જા વિનાના મૃત્યુને પણ ચાહતા તે આ રે; આવ જાનથી કાઇની પણ વાળવાના વેરને, લાગ મુજ ઉત્તમ મળ્યો હું શીઘ્ર સાધુ કાર્યને. પપ અઃ—મારી પુત્રીને રખડતી મૂકીને જેણે દીક્ષા અંગીકાર કરી તે આ લજ્જા વિનાના એટલે શરમ રહિત મૃત્યુને પણ ચાહે છે. અત્યારે આ માર્ગે કોઇ આવતુ જતું નથી તથી વેર વાળવાનેા મને અત્યારે સારા લાગ મળ્યા છે. માટે આ મળેલે અવસર ચૂકયા વિના હું મારા કાર્યને ( આ મુનિને મારવારૂપ) જલ્દી સાધુ–પાર પાડું, કારણ કે આવે! લાગ વારે વારે મળતા નથી.૫૫. તેવિત્ર માથે પાળ ખાંધી લાલ અંગારા ભરે, વર વાળી એમ નિજ રસ્તે પડે પણ બહુ રે; મુનિ આકરી એ વેદના સમતા ધરીને ભાગવે, દીક્ષા દિવસની પ્રથમ રાતે નાણુ કેવળ મેળવે. પ૬ અર્થ:—પછી તે સોમિલ બ્રાહ્મણે પોતાનું વેર વાળવા માટે કાઉસગ્ગમાં રહેલા તે મુનિના માથે માટીની પાળ બાંધી તેની અંદર લાલચેાળ અંગારા ભર્યા. આ પ્રમાણે વેર વાળીને ત્યાંથી તેણે જલ્દી પેાતાના ઘર તરફ ચાલવા માંડ્યુ. પરંતુ પોતે મહા પાપ કર્યું હાવાથી મનમાં તે ઘણા ભય પામવા લાગ્યું. આ તરફ માથા ઉપર ધગધગતા અંગાર ભરેલા હાવાથી મુનિને આકરી વેદના થવા લાગી. તે પણ તે મુનિ તે બ્રાહ્મણ પ્રત્યે ખીલકુલ રાષ કરતા નથી. પરંતુ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy