SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસરનું ઓડિટ હોય તો ઉતારાની આવક લીધી છે ? રોકાણ કરતું હોય તો ઇન્સેન્ટીવની આવક ક્યાં ગઇ ? આ તપાસ ખૂબ ઉંડાણપૂર્વક કરવી. જો કે કારણ સાચુ હોય તો ઓડિટ કાગળમાં તેની વિગતવાર નોંધ લખવી. ૪. ખર્ચ (ઉધાર બાજુ) (અ) ખર્ચ (ચેકથી) - કોઇપણ પ્રકારનો ખર્ચ જો ચેકથી કરવામાં આવેલ હોય તો તેનું બિલ બેંકબુક સાથે જોવું. (બ) ખર્ચ (રોક્કેથી) : ૧. જે ખર્ચ રોકડેથી કરવામાં આવેલ હોય તેની નોંધ જે તે તારીખમાં જ હોવી જરૂરી છે. ૨. રૂ. પ૦૦ થી ઉપરના વાઉચરમાં રૂ. ૧ની રેવન્યુ લગાવેલી હોવી જોઇએ. ૩. ખર્ચમાં સપોરટીંગ (બીલ) હોવું જરુરી છે. ૪. કરેલ ખર્ચ સંસ્થાના હેતુ માટે જ કરેલ છે તે ચકાસવું તથા વ્યાજબીપણુ પણ તપાસવું જોઇએ. ૫. ખર્ચમાં લેનાર વ્યક્તિની સહી તેમજ ટ્રસ્ટીની સહી જરુરી છે. (ક) ખર્ચના બે પ્રકાર :૧. મહેસુલી ખર્ચ - ૨. મૂડી ખર્ચ - - મૂડી ખર્ચને ઉપજ ખર્ચ ખાતે લઇ જવામાં આવેલ નથી તે ચકાસવું. - મૂડી ખર્ચ માટે ઠરાવ હોવો જરુરી છે. ૫. આખરની બાકી આખરની બાકી ખાતાવહી, રોજમેળ અને બેંકબુક સાથે ચકાસવી.
SR No.023281
Book TitleCharitable Trustone Margdarshan
Original Sutra AuthorN/A
AuthorPadarth Darshan Trust
PublisherPadarth Darshan Trust
Publication Year2004
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy