SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી ૧૯ ઓગણીસમી બત્રીશીમાં મુખ્યત્વે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્મયોગનું જ વિવરણ કરવામાં આવ્યું છે. સત્તરમી યોગભેદ બત્રીશીમાં અધ્યાત્મ વગેરે પાંચ ભેદે યોગનું સ્વરૂપ વર્ણવ્યું. આમાં યોગના અન્તર્ગત ભેદોનું વર્ણન કર્યું છે. ઇચ્છાયોગ શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનાં લક્ષણો યોગદષ્ટિ સમુચ્ચય પ્રમાણે છે. એક વાત બહુ અગત્યની અહીં પહેલા શ્લોકમાં કહી છે કે, યોગમાર્ગમાં નિષ્કપટપણું નિર્દભપણું એ પૂર્વ શરત છે. દખ્ખસાથેનો યોગાભ્યાસ, એ યોગાભ્યાસ નથી પણ યોગાભાસ છે અને આ નિર્દમ્ભપણું એ બહુ આકરી ચીજ છે. જે ન હોય તેનો દેખાડો કરવો અને જે હોય તેનું સંગાપન કરવું તે કપટ છે, દંભ છે, માયા છે, આનાથી દૂર રહેવાનું છે. શુદ્ધ ઇચ્છાયોગ પણ આત્માનાં ઐશ્વર્યની ઝાંખી કરાવે છે. પૂજ્યવાદ ઉપાધ્યાયજી મહારાજે એક સ્થળે પોતાની ઇચ્છાયોગના આધારે થયેલો સુખાનુભવ વર્ણવતાં ગાયું છે કે, રૂછી યોગાપિ वयमिमेयत्सुखं संप्रतीम: तस्याधस्तात सुरपतिपदं चक्रिणां चापि મો.' માત્ર ઇચ્છાયોગના જ આલંબનથી પણ અમે જે સુખનો આનંદનો અનુભવ કરીએ છીએ, તે સુખની સામે ચક્રવર્તિનાં સુખો છે કે ઇન્દ્રોનું ઐશ્વર્ય કશી વિસાતમાં નથી. આ ઇચ્છાયોગ એટલે બ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy