________________
૭૨
卍
પરલોકભોગ આશ્રિત એમ ચાર ભાંગાથી તેનો વિચાર થઈ શકે.
આ ચારે કથાનું સપ્રભેદ નિરૂપણ કયા પછી વિકથા, મિશ્રવિકથાનું નિરૂપણ લક્ષણ વગેરે બતાવ્યા છે અને છેલ્લે આઠ શ્લોકમાં જે વાતો કહી છે, તે તમામ વ્યાખ્યાન વાંચનારા મહાનુભાવોને ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે ઃ શૃંગારને ઉદ્દીપત કરે તેવી કથા ન કહેવી. પણ જે સાંભળીને સંવેગ અથવા નિર્વેદ ઉત્પન્ન થાય તેવી કથા કહેવી. એકાન્તવાદના આધારે કથા ન કરવી પણ સ્યાદવાદ શૈલીથી કથા કરવી. પ્રરૂપણામાં સત્ય કથન કરવું, ભલે પોતે તે પ્રમાણે સંયોગવશ કદાચ આચરી ન શકે, પણ પ્રરૂપણા તો શુદ્ધ કરવી. વ્યાખ્યાતા સ્યાદવાદશૈલીનો જ્ઞાતા હોવો જોઈએ. હવે દશમી યોગલક્ષણ બત્રીશી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા