SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ મહારાજની ભિક્ષા અકૃત-અકારિત અને અકલ્પિત હોવી જોઈએ, ‘માધુકરી’ તે તેનું ગુણદર્શક અથવા તો સ્વરૂપ દર્શક નામ છે. એ જ રીતે વૈરાગ્યના ત્રણ પ્રકારમાં પહેલો દુઃખ ગર્ભિત વૈરાગ્ય. એ આર્તધ્યાન સ્વરૂપ છે. વળી એ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો શક્તિ અનુસાર પણ મોક્ષના ઉપાયભૂત ધર્મમાં પ્રવૃત્તિ કરતા નથી, જ્યારે તાત્ત્વિક વૈરાગ્ય પ્રકટે છે, ત્યારે શક્તિ અતિક્રમીને પણ મોક્ષના ઉપાયભૂત ધર્મને સેવવાનો યત્ન કરે છે. દુઃખગર્ભિત વૈરાગ્યનું કારણ ઇષ્ટની અપ્રાપ્તિ હોય છે. જ્યારે જ્ઞાનગર્ભિતમાં તે કારણ નથી. મોહગર્ભિત વૈરાગ્યમાં સંસારમાં નિર્ગુણતાનાં દર્શન થવાથી ચિત્તમાં વિરાગ પ્રકટે છે. જ્યારે સંસારનો સહજ ભય લાગે છે અને તેમાં સ્યાદ્વાદ-વિદ્યાના જ્ઞાનથી તે વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. માટે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. સ્વકર્તૃત્વનો ભાવ ન રહે, તે માટે દીક્ષાદિ પ્રસંગોમાં ‘ક્ષમાશ્રમણના હાથે' આ થઈ રહ્યું છે એમ કહેવામાં આવે છે. આ છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા ત્રણ શ્લોકમાં શાસનની મિલનતા ન થાય તે પ્રમાણે વર્તવું જોઈએ, અન્યથા મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય છે. આ શાસનમાં સ્વેચ્છયા કશો જ વ્યવહાર ન કરવો જોઈએ. ઇત્યાદિ વાતો ખૂબ જ સુંદર કહેવાઈ ૬૫ છે. હવે સાતમી ધર્મવ્યવસ્થા વિચારીશું. સાધુ સામગ્ય બન્નીથી 是
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy