SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જે વ્યક્તિ માધ્યચ્ચ ગુણધારી હોય છે, તે નિર્ભય હોય છે. મુનિને કયાંય ભય ન લાગે. તેની પાસે જ્ઞાનદૃષ્ટિ છે ને ! આ જ્ઞાનદૃષ્ટિને મયૂરી કહી છે અને ભયને સર્પ કહ્યા છે. આત્મા તો ચંદન છે જ. આ સર્પ-મયૂરી અને ચંદનનું રૂપક સર્વ પ્રથમ આપણને કલ્યાણ મંદિર (ગાથા ૭)માં મળે છે. તેનો જ એક સુભગ અનુવાદ શ્યામજી માસ્તરે કર્યો છે તે અહીં વિષયાંતરનો દોષ વહોરીને પણ નોંધવાની લાલચ રોકી શકતો નથી. આત્મચંદન પર કર્મસર્પનું, નાથ અતિશય જોર, તે દુષ્ટોને દૂર કરવાને, આપ પધારો મોર.” એ જ રૂપક અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પ્રયોજ્યું છે. જ્ઞાનદૃષ્ટિ આવે એટલે ભય રહે જ નહીં. જેને પરાપેક્ષા છે, જેને રાગદ્વેષ છે. તેને જ ભય છે. અરે ! ભવ-સુખોની છાયા પણ ભયભરેલી છે. અખંડ જ્ઞાન રાજ્યના રાજા પણ જ્યારે ચારિત્રને ધારે છે. ત્યારે તે નિર્ભય બને છે. કવિ યોગી શ્રી ભર્તુહરિએ “વૈરાગ્યમેવાભયં” લખ્યું. ઉપાધ્યાયજી તેમાં જ્ઞાન પદ ઉમેરે છે. વાત સાચી છે. રજુમાં સર્પની બ્રાન્તિ, અજ્ઞાન તે [૩૯ જ ભયનું કારણ છે. જ્ઞાન થાય કે આ તો દોરડું જ છે પછી ભય કયાં રહે છે ! વળી જે ઉપમા નિસ્પૃહાષ્ટકમાં સ્પૃહાવંત માટે વાપરી હતી તે જ ઉપમા અહીં ભયમુક્ત માટે વાપરી છે. મૂઢ જીવો ભય પવનથી રૂની જેમ ઘૂજે છે, ભમે છે. જ્ઞાનયુક્ત જ તે વેળાએ અભય રહે છે. કહો કે અચલ રહે છે. નિર્ભયતા એક મહાગુણ છે, તે આવે પછી સ્વપ્રશંસાની સંભાવના છે. આ સ્વાત્મપ્રશંસા એ સાધક માટે અવશ્ય નિવારણીય ભયસ્થાન છે. તેથી અઢારમા અષ્ટકમાં “અનાત્મશંસા'નું નિરૂપણ છે. આ અષ્ટકમાં આઠે શ્લોકમાં આત્મપ્રશંસા - નિરોધ વિચારો-યુક્તિસંગત અને અસરકારક રીતે જ્ઞાનસાહ જ્ઞાસ્વાદ
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy