SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ “નાë ન મમ' આ મંત્ર છે. હું છું તો શું છું? શુદ્ધાત્મદ્રવ્ય હું છું અને શુદ્ધજ્ઞાન મારો ગુણ છે. આ જ્ઞાનગુણ ખીલે તો મોહને જતાં વાર ન લાગે. માટે મોહનાં અષ્ટક પછી જ્ઞાન અષ્ટક આવે છે. જ્ઞાનની વિચારણામાં સંખ્યાનો લોભ જરૂરી નથી! “નિર્વાણ” એટલું એક જ પદ પણ આપણા જ્ઞાનનાં દ્વાર ઉઘાડી શકે છે. જ્ઞાનના જે ત્રણ પ્રકાર વર્ણવવામાં આવે છે. તે શ્રુત, ચિંતા અને ભાવના-માં ત્રીજું ભાવના-જ્ઞાન અમૃત સમાન છે. એ જ્ઞાનને પીયૂષ, રસાયણ અને ઐશ્વર્ય રૂપ કહ્યું છે, તે બહુ મનનીય છે. જ્ઞાનઐશ્વર્ય જેની પાસે છે તે રાજાધિરાજ છે. જ્ઞાન આવે એટલે તેનું ફળ સમ - સમતા આવે જ. કારણ કે શમને તો જ્ઞાનના પરિપાક રૂપે કહ્યો છે. યોગમાં પ્રવેશ કરનાર પહેલાં બાહ્ય ક્રિયા કરે. પણ યોગારૂઢ થયેલા તો શમથી શુદ્ધ થાય છે. શમને પ્રાપ્ત કરવા ઇન્દ્રિયોનો જય પ્રાપ્ત કરવો પડે. ઇન્દ્રિયો પ્રત્યેની વાસનાનો ત્યાગ થાય તો જ એ જય સાચો જય ગણાય. સંસારનો ત્યાગ કરીને સંયમની ક્રિયામાં રત બનવું જોઈએ. એ ક્રિયા અષ્ટકના પહેલા શ્લોકમાં જે વિશેષણો છે : જ્ઞાની, ક્રિયાપર, શાંત – એ વિશેષણોને પદકૃત્ય પદ્ધતિએ વિચારવાથી એકેક પદની સાર્થકતા અને વિશેષતા સમજાય છે. તેથી બહુ આનંદ આવે છે. જેમ કે ક્રિયાશીલ છે, શાંત છે, ભાવનાથી ભાવિતાત્મા છે, વળી જિતેન્દ્રિય છે. પણ જ્ઞાની નથી, તો તે સ્વયં તરીકે તારી નહીં શકે. હવે તે જ્ઞાની છે, શાંત છે, ભાવિતાત્મા છે, જિતેન્દ્રિય છે, પણ ક્રિયાશીલ નથી. તે જ રીતે બધું હોય પણ શાંત ન હોય, પછી ભાવિતાત્મા ન હોય. પછી બધું જ હોય પણ જિતેન્દ્રિય ન હોય, તો તે પણ ભવસાગર તરવામાં કે અન્યને તારવામાં સમર્થ બનતો નથી. એ જ રીતે અષ્ટકના છેલ્લા શ્લોકમાં બે પ્રકારના અનુષ્ઠાનો (૧) વચન અનુષ્ઠાન (૨) અસંગ અનુષ્ઠાન તીર્થકરોને હોય તે માર્મિક વાત જણાવી છે. જ્ઞાન અને ક્રિયા બે આવે એટલે આત્મતૃપ્તિ બ્રુતજલધિ પ્રવેશે નાવા.
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy