________________
આ ગ્રંથના વિષયનાં વ્યાપ અને ઊંડાણ એટલાં બધાં વિશાલ અને અગાધ છે કે હજી ઘણુંક લખાયા પછી પણ આપણા વર્તમાન શ્રી સંઘના ચિંતકની કલમના સ્પર્શને તો પૂરેપૂરો અવકાશ છે. | ગીતા ઉપરનાં વિવેચનોની જેમ જ્ઞાનસાર ઉપર નાની-મોટી આવૃત્તિઓ જો સુલભ બને તો જૈન શ્રાવક સંઘની વિચારશુદ્ધિ માટે બહુ જરૂરી એક સાધનની પૂર્તિ થઈ ગણાય. આ બધો તો જ્ઞાનસાર કૃતિની આગળ-પાછળનો વૈભવ વિચાર્યો. મૂળ કૃતિનો રસાસ્વાદ હજી બાકી રહે છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા