SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ માત્રથી આત્મા જુદો છે, તે જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. સવિકલ્પ સમાધિ તે શુભપયોગરૂપ છે. અને નિર્વિકલ્પ સમાધિ તે શુદ્ધોપયોગરૂપ છે. પહેલી સાલંબન અવસ્થા છે. બીજી નિરાલંબન અવસ્થા છે. આત્મજ્ઞાન થાય કેવી રીતે તે સમજાવ્યું છે. એ જ વિષયમાં શ્રી આચારાંગસૂત્ર કથિત “મપથ પર્વ નિOિ” “પ્રથમ અંગે વધુ અપદને પદ નથી' ઉપાધિમાત્રથી મુક્ત, સ્વર, તર્ક અને મનની પેલે પારનો પ્રદેશ જ્યાં મનની પણ ગતિ નથી, તે સ્થળ આત્મદ્રવ્ય છે. અને તે સમજાવવા શાસ્ત્રો પૂરાં કારગત નીવડતાં નથી, માત્ર અનુભવ જ કામ લાગે છે. આ વિષયને સવાસો ગાથાના સ્તવનમાં સરસ નિરૂપ્યો છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મદ્રવ્યની વિચારણા કરી છે. સંગ્રહાયની દૃષ્ટિએ પણ સત્ ચિત્ અને આનંદ કેવી રીતે આત્મામાં રહે છે તેમ બતાવ્યું છે. પહેલાં તો વ્યવહાર-નયથી જ શમદમ વડે ચિત્તશુદ્ધિ કરવી, પછી આ વિચારોથી આત્માની વિચારણા કરવી. નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી જ થાય છે, તે બહુ ભારપૂર્વક જણાવ્યું છે. છેલ્લે નિશ્ચયનયને સિંહની ઉપમા અને તેનાથી બીજા નયોને હાથીની ઉપમા આપી છે. અને તે પોતાનો સ્વયંભૂસ્વાધીન નિજાનંદ ખુમારીપૂર્વક ગાયો છે, અને એ રીતે ૬૫ શ્લોકમાં બીજો અધિકાર પૂર્ણ થાય છે. તે પછી ત્રીજા ક્રિયાયોગ અધિકારમાં માત્ર શુષ્ક, કોરું જ્ઞાન મહત્ત્વનું નથી, તેની સાથે એ જ્ઞાનપૂર્વકની ક્રિયા અતિ અગત્યની વસ્તુ છે. એક ગામથી બીજે ગામ પહોંચવા માટે તે બે ગામ વચ્ચેનું અંતર જાણવું જ પર્યાપ્ત નથી પણ ચાલવું જ અગત્યનું છે. એમ શાસ્ત્રથી માર્ગ જાણ્યા પછી તેને ક્રિયામાં પરિણમાવવો પડે. તેમજ ક્રિયા અને જ્ઞાન અન્યોન્ય પૂરક છે. ‘ભાવ નવો કિરિયાથી આવે આવ્યો તે વળી વાવે, નવિ પડે ચડે ગુણઠાણે તિમ મુનિ કિરિયા સાથે.” શ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy